સદગુરૂ: જેમાં સાધુપણાના ગુણો હોય છે, પુરુષાર્થ (પરમાર્થ) થી જે સાધુ છે. ( સંત) સાંસારિક પ્રપંચ રહિત હોય છે. ગીતાર્થ (બહુ શાસ્ત્રોને જાણનાર) છે દ્રવ્ય, ક્ષેત્ર,કાળ,ભાવ વગેરે ના જાણકાર છે, સંવેગ-નિર્વેદ ના પરિણામ વાળા હોય છે.
આવા સદગુરૂ મળે ત્યારે તેને પ્રણામ વગેરે કરવાથી તેની નિકટતા વધે છે અને તેનાથી પરિચય (સંબંધ) વધે છે અને સદગુરૂપણા ની બુધ્ધી થાય છે. તેના પ્રત્યે બહુમાન અને પૂજ્ય ભાવ વધે છે. સદગુરૂ આત્મ કલ્યાણ ની ક્રિયાઓ માં પ્રોત્સાહન આપે છે.
આ રીતે થયેલો સદગુરૂનો સંયોગ યોગાવંચક બને છે ત્યારબાદ તેઓને સદગુરૂપણા ના ભાવ થી કરાતી વંદન વગેરે ક્રિયાઓ ક્રીયાવંચક અને ફલાવંચક બને છે.
આ રીતે સદગુરૂ ને પ્રણામ,વંદન,વૈયાવચ્ચ વગરે અવંચક ત્રય ની પ્રાપ્તિના નિમિત્ત છે.
સદગુરૂ આપણી આંખમાં દિવ્યજ્ઞાન રૂપી અંજન નાખીને આપણી દૃષ્ટિ આત્મ કલ્યાણ તરફ ખોલે છે અને તેનાથી સ્વાત્મામાં રહેલા અનંતજ્ઞાન,દર્શન,ચારિત્ર વગેરે નો ભંડાર દેખાય છે અને પુદગલ સુખ પ્રત્યે રાગ ઓછો થાય છે અને આત્મા પરમાર્થ સાધવા ઉત્સુક બને છે.
અજ્ઞાનતા ના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ
No comments:
Post a Comment