Tuesday, April 17, 2012

૮/૨૨/૧૧ સોમવાર પાનું ૯૬ ફકરો ૩ અને ૪ સવાલ-જવાબ

બોધ અથવા દૃષ્ટિ શબ્દ અને સત્શ્રદ્ધાવાળો બોધ સમજાવ્યા પછી હવે સવાલ એ થાય છે કે આવી દૃષ્ટિ વાળા જીવ ને શું ફળ પ્રાપ્ત થાય છે?
સત્શ્રધ્ધાવાળો બોધ સમ્યગ શાસ્ત્રો માં ખુબજ શ્રધ્ધા વાળો હોવાથી શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ નો ઘાત કરે છે અને આ જીવ સમ્યગ પ્રવૃત્તિ જ કરે છે.
આ સંસાર મોહ અને અજ્ઞાનરૂપી અંધકારથી ભરપુર છે અને સમ્યગ શાસ્ત્ર અને આપ્તપુરુષોની (પોતે જે વસ્તુ વિષે કહેતો હોય તે વસ્તુ જાતે જોઈ હોય કે જાણી હોય એવો માણસ.) વાણી અને તેનામાં શ્રધ્ધા એ દિપક સમાન છે. આથી આવા અંધકારમય વાતારણ માં પણ અસત પ્રવૃતિઓ અટકી જાય છે.
ટૂંકમાં સત્શ્રધ્ધાવાળા જીવની અસત પ્રવૃતિઓ અટકી જાય છે અને શાસ્ત્ર પ્રમાણે ની સત પ્રવૃતિઓ ને સ્થાન મળે છે.

અજ્ઞાનતા થી જીન અજયના વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ




No comments:

Post a Comment