Thursday, April 19, 2012

૧/૪/૧૨ બુધવાર ગાથા ૨૯ પાના ૧૪૦ થી પાના ૧૪૧ ફકરો પહેલો

ગાથા ૨૮ ના અંતે બતાવેલા છ યોગબીજ નું મીત્રાદ્ર્ષ્ટિમાં આવેલા જીવમાં આચરણ થાય તો તે ઉત્તમ છે પરંતું આ જીવો હજી પ્રાથમિક કક્ષાના હોવાથી બધા જ જીવોથી આ યોગબીજો નું આચરણ થાય જ એવો નિયમ નથી. સંજોગવશાત કદાચ આ બીજોનું આચરણ ન થાય તો પણ આ યોગબીજ પ્રત્યે અત્યંત રૂચી હોય છે અને વારંવાર શ્રવણ કરવાનું મન થાય છે. આ યોગબીજ ની કથા વાર્તા સાંભળ્યા કરીએ એવો વિર્યોઉલ્લાસ પ્રગટ થાય છે અને આ સાંભળ્યા પછી "આ આમજ છે " એવી અખૂટ શ્રધ્ધા હૃદયમાં પ્રગટે છે. અંતરમાં યોગબીજ પ્રત્યે પ્રેમ ઉભરાય છે. ગુરુજી જે સમજાવે છે તે અમૃત વચન લાગે છે અને તે કહે છે તે પ્રમાણે જ છે એવા શબ્દો મોઢામાંથી નીકળી પડે છે. યોગબીજ ને સાંભળવાથી તેનો આત્મા નાચવા લાગે છે અને તેના અંગે અંગે રોમરાજી ખીલી ઉઠે છે. તેના હૈયામાં હર્ષ માતો નથી એવી શ્રધ્ધા પેદા થાય છે.

અજ્ઞાનતા ના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ

No comments:

Post a Comment