Thursday, April 26, 2012

swadhyay 8.23.2011 page #s 96 to 99

સ્વાધ્યાય   ૮.૨૩.૨૦૧૧     પાનું # ૯૬ થી  ૯૯ 

અસત્પ્રવૃતી  અટકે તો સત્પ્રવૃતીરૂપ યોગ આપોઆપ આવે છે  આને  વેઘસંવેદ્પદ  ( સમ્યક્ત્વ ) ( જાણવા યોગ્ય સાચી દ્રષ્ટિનું સંવેદન - અનુભવ ) કહે છે . ( અવેધસંવેદ્પદ  = અસત શાસ્ત્રોની શ્રદ્ધા - અસત દ્રષ્ટિમાં માનવું. )  વેધસંવેદ્પદની ( સમ્યક્ત્વની ) વાસ્તવિક પ્રાપ્તિ સ્થિરા , કાન્તા, પ્રભા, પરા દ્રશ્તિઓમાં છે પણ અંશે આ યોગાત્મક બોધ તો મિત્રા આદી પ્રથમની ચાર દ્રષ્ટિમાં શરુ થાય છે કે જ્યાં હજુ મીથ્યાત્વાવસ્થા છે  પણ મિથ્યાત્વ દિન પ્રતિદિન મંદ થતું જતું  હોવાથી  વેઘસંવેદ્પદની ભૂમિકા બંધાતી જતી હોવાથી અને સમ્યક્ત્વાનું અવન્ધ્ય કારણ બનવાનું  હોવાથી, આ  કાળે વર્તતા બોધ પણ કારણમાં કાર્ય નો  ઉપચાર કરીને આઠે દ્રષ્ટિમાં વર્તતા બોધને વેઘસંવેધ્પદ કહ્યું છે .

સત્પ્રવૃતીપદ એ શૈલેશીપદ  વાળું  ૧૪મા ગુન્સ્થાન્ક્વર્તી  સર્વથા અનાશ્રવાવ્સ્થારૂપ  પદ છે પણ યોગની પ્રથમ દ્રષ્ટિથી આવનારો   આ બોધ પ્રમ્પરાએ  આ પદની પ્રાપ્તિનું અવન્ધ્ય કારણ હોવાથી તે પદ પ્રાપ્ત કરાવનાર છે એમ કહેવામાં કોઈ દોષ નથી.

યોગ્દ્રષ્ટિ સ્થુંલભેદથી આઠ ભેદવારી છે પણ સુક્ષ્મભેદથિ  બહુ ભેદવારી  છે.
આઠ ભેદ - આવરણ કરનાર કર્મો  - મુખ્યત્વે જ્ઞાનાવરણીય  અને મોહનીયના ક્ષયોપશમ,  ક્ષય, ઉપશમના ભેદોને કારણે  સ્થૂળ નીતિથી આઠ ભેદ કહ્યા છે . એમાં સુક્ષ્મભેદોનિ અવિવક્ષા કરી છે . જો સુક્ષ્મભેદોનિ વિવક્ષા કરીએ તો વિશેષ ભેદો અનંત છે  કારણકે પ્રત્યેક જીવને આશ્રયી જ્ઞાનાવરણીય કર્મ અને મોહનીયાકર્મની  ક્ષયોપશમ  તરતામાંતાવાળી  અનંત જાતની દ્રષ્ટિઓ હોય છે . તે અનંત્ભેદોને જ્ઞાનીઓએ ઓછામાં ઓછી યોગ્દ્રષ્ટિ થી  (મંદ એવી મિત્રા દ્રષ્ટિ થી ) આરંભીને વધુમાં વધુ યોગ દ્રષ્ટિ (પરાદ્રષ્ટિ) સુધીમાં વર્તતા જીવોની દ્રષ્ટિઓ  ૧. અનંત્ભાગ અધિક   ૨. અસંખ્યાત ભાગ અધિક.     ૩. સંખ્યાત્ભાગ અધિક .      ૪. સંખ્યાત ગુણ અધિક.    ૫. અસંખ્યાત ગુણ અધિક.    ૬.  અનંતગુણ અધિક . એમ છ સ્થાનોથી  યુક્ત છે  અને તે સ્થાનોમાં પણ એક એકના બહુ ભેદ છે.


લખાણ માં જોડણી માં રહેલી ભૂલો માફ કરશો.

અજ્ઞાનથી કે પ્રમાદથી જો ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો માફ કરશો અને સુધારી ને વાંચશો  .  મિચ્છામી દુક્કડમ .

No comments:

Post a Comment