ચિત્તના ૮ દોષો ( ૪ - ૮ ) . ઓગસ્ટ ૨, ૨૦૧૧ . પાનું ૯૧
૪ ઉત્થાન - મોક્ષ સાધકનું યોગમાર્ગની ક્રિયામાંથી મન ઉઠી જવું - જેને કારણે ક્રીયામાર્ગ તજી દેવાનો ભાવ થાય પણ લોક્લજ્જા કારણે ક્રિયા કદાચ ન છોડે તો પણ તેમાં ચિત્ત ન રહે.
૫. ભ્રાંતિ - ભ્રમ થવો , ભમવું , ભટકવું. યોગમાર્ગની ધર્મક્રિયા ને છોડી ચિત્તનું ભમવું, ભટકવું અથવા અતત્વને તત્વ માનવું અથવા અમુક ક્રિયા થયી કે નં થઈ તેનો ભ્રમ થવો.
૬. અન્યમુદ.- યોગમાર્ગની ક્રિયા કરતા અન્ય સ્થાને હર્ષ કરવો. તેમાં પ્રવૃત્તિ કરવી જેનાથી ઇષ્ટ કાર્યમાં અવરોધ થાય છે.
૭. રૂગ - રોગ - રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન) આ ત્રણ મહારોગ છે . ભાવરોગ છે - સંસાર વર્ધક ક્રિયાનો રાગ, મોક્ષ સાધક ક્રિયાનો દ્વેષ, યોગમાર્ગની સાચી ક્રિયાની અણસમજ - આ સર્વ ભાવ સાધનામાં વિઘ્ન રૂપ છે. આનાથી શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ બની જાય છે અને યોગ્ય ફળ આપવા અસમર્થ બને છે.
૮. આસંગ - પર્દ્રવ્ય , પરભાવ પ્રત્યે આસક્તિ થવાથી મુક્તીમાંર્ગની સાધના નબળી પડે અથવા મુક્તીમાંર્ગની સાધનાના અસંખ્ય ઉપાયો પૈકી કોઈ એક ઉપાયમાં આસક્તિ થવી કે જેથી અન્ય ઉપાયો પ્રત્યે ઉપેક્ષા ભાવ આવતા ગુણસ્થાનક નો વિકાસ રૂંધાય છે.
સ્વાધ્યાય ૮.૩.૨૦૧૧ પાનું ૯૨ - પેરા બીજો
ચિત્તના આઠ દોષો - ખેદ,ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ,અન્યમુદ, રૂગ, આસંગ - પરસ્પર સંકળાયેલા છે. એક આવવાથી બધા આવે છે. એક જવાથી ક્રમશઃ સર્વે જાય છે.
યોગ માર્ગમાં આત્માનો વિકાસ કરાવે એવી ધર્મક્રિયામાં જો ખેદ ઉપજે (થાક લાગે) તો ઉદ્વેગ (કંટાળો) આવે . આનાથી ચિત્ત બીજે જાય જ (ક્ષેપ) એટલે ચાલુંક્રીયામાં ચિત્ત સ્થિર ન રહે (એટલે ઉત્થાન) અને ચિત્ત ધર્મક્રિયામાં ન રહેતા તે ચોતરફ ભટકયા જ કરે (ભ્રાંતિ), ચિત્ત નું બહાર ભમવાથી મોહ ઉદયથી પરભાવ દશામાં પ્રીતિ વધે અને તેમાંજ ચિત્ત આનંદ પામે (અન્યમુદ) અને આ પરભાવ આનંદ એ જ યોગમાર્ગમાં પીડારૂપ બને (રૂગ) અને આ રાગ, દ્વેષ, અજ્ઞાનની અનાદિ વાસનાના જોરે પુદગલ્સુખમાં જ આસક્તિ વધતી જાય ( તે આસંગ). આ રીતે દોષો ક્રમશઃ આવે છે અને જો પ્રથમ દોષ-ખેદ-નો પરિહાર કરાય તો તેના બળે ક્રમશઃ બધા દોષો જાય છે.
ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાય હોય તો મિચ્છામી દુક્કડમ .
No comments:
Post a Comment