Thursday, April 19, 2012

10/17/11 Gatha 23 pg. no.110 પ્રથમ યોગબીજ -કુશલચિત્ત

ગાથાર્થ: ૧) જીનેશ્વર ભગવાન પ્રત્યે શુભભાવવાળું ચિત્ત ૨) તેઓને નમસ્કાર કરવો ૩)અતિશય શુદ્ધ પ્રણામાદિ કરવા આ ત્રણ અનુત્તમ યોગબીજ છે. !! ૨૩ !!

પ્રથમ યોગબીજ - કુશલચિત્ત

અનાદિકાળથી મિથ્યાત્વમોહના ઉદયથી એકેન્દ્રિયાદી ભવોમાં પરમાત્માનું નામ પણ સાંભળ્યું ન હતું. પંચેન્દ્રિયના કોઈક ભવમાં સાંભળ્યું હશે તો પણ સ્ત્રીરાગી અને શસ્ત્રધારી કુત્સિત દેવ ને માન્યું હશે. જીનેશ્વર પરમાત્મા-જેઓએ મૂળથી રાગ - દ્વેષ અને અજ્ઞાનનો નાશ કરી વીતરાગાવસ્થાને પ્રાપ્ત કરીનેત્રણેય લોકના સમસ્ત દ્રવ્યોના ત્રણેય કાળના સર્વપર્ય।યોના ભાવો સાક્ષાત જાણે એવા સર્વજ્ઞ થયા આવા અરિહંત (જીન) પરમાત્મા તરફ તો દ્વેષ, અરુચિ, તિરસ્કાર, નાખુશી ભાવ કર્યો કારણ કે તેઓ વીતરાગી હોવાથી શું લાભ આપે? જ્યાં સુધી આવા ભાવ હોય ત્યાં સુધી તેમના પ્રત્યે પ્રીતિ -ભક્તિ-બહુમાન-પૂજ્યભાવ ક્યાંથી આવે? જ્યારે મનની શુદ્ધિ થાય અને અશુભ ભાવ ના અભાવથી ચિત્તમાં જીનેશ્વર ભગવાન પ્રત્યે શુભભાવ નીપજે ત્યારે શુભભાવવાળું કુશલચિત્ત નામનું પ્રથમ યોગબીજ મિત્રાદ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે.

જીન આજ્ઞા વિરુદ્ધ જે કઈ લખાયું હોય તો વિભા ના મિચ્છામી દુક્કડમ

No comments:

Post a Comment