Thursday, April 19, 2012

2/01/12 gatha 32-33 Wed page no.148 3rd para - 149 second last para.

ચર્માવર્તના અને બહુ ભાવમલ ક્ષયના ત્રણ બાહ્ય લક્ષણો :
૧) અનુકંપા-દયાથી ભરેલું કોમળ હૃદય જે દુખી જીવોના દુઃખ દૂર કરે.
૨)ગુણી પુરુષોને જોઈને અદ્વેષ-આનંદિત અને પ્રમોદિત થાય, દ્વેષ ન કરે.
૩) સર્વત્ર ઉચિત આચરણ.
આ ચિહ્નોથી આપણે અનુમાન કરી શકિયે કે આપણે ચરમાવર્તમાં છીએ કે નહિ(સંપૂર્ણપણે તો કેવળી જ જાણે) અને ના હોય તો લાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
કર્મબદ્ધપર્યાયવાદી (નિયતીવાદી) એમ માને છે કે, જે કાલે ચરમાવર્ત થવાનું હશે ત્યારે આપોઆપ થશે કારણ બધી પર્યાય ક્રમશ: ગોઠવાયેલી જ છે પણ તે ઉચિત નથી, એકાંતવાદી હોવાથી મિથ્યાદ્રષ્ટિ છે કારણકે આમા પુરુષાર્થની હીનતા થાય છે। છદ્મસ્થને કર્મ ખપાવવા માટે પાંચ સમવાયમા પુરુષાર્થ જ પ્રધાન છે,નિયતીઆદિ પણ કામ કરે પણ તે ગૌણ છે (કેવલીનેજ નિયતી પ્રધાન છે - એમના ઘાતીકર્મ ખપી ગયા છે)
ગાથા ૩૩-ઉપરના ત્રણ લક્ષણોવાળા મહાત્માને પોતાના અવંચક્પણ।ના ઉદયથી યોગ્યકાળે અવશ્ય શુભ નિમિત્તોનો સંયોગ થાય છે.
આવો જીવ કેવો છે? ભદ્રમુર્તી = જેની ભદ્ર નિર્દોષ,પ્રસન્ન અને કલ્યાણકારી મુખમુદ્રાવાળી મૂર્તિ જોઈનેજ વહાલ-પ્રેમ ઉપજે અને એનું હૈયું નિખાલસ છે. તેમની કંઈક આત્મદ્રષ્ટિ ખુલતા સંસારિકસુખ માટે કરાતો પુરુષાર્થ હવે આત્મહિત માટે કરાય છે. આવા સદવીર્ય (પુરુષાર્થ)ના કારણે અવંચક પુણ્યોદયથી શુભ અને પ્રશસ્ત એવા નિમિત્તસંયોગ થાય છે.- કેવા?
આવા સદયોગાદી - શુભયોગ, શુભક્રિયા, અને શુભફળ વાળા નિમિત્તોના યોગ થી મુક્તિ સાધીને નજીકમાંજ કલ્યાણ થવાનું છે માટે આવા ભદ્રમુર્તીવાળા આત્માને મહાન આત્મા કે મહાત્મા કહેલ છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ.

No comments:

Post a Comment