ગાથાર્થ: પરમાત્માની જેમ ભાવવાળા આચાર્ય વગેરે વિષે પણ વિશુદ્ધ એવું કુશળચિત્તાદી તે યોગબીજ છે. અને શુદ્ધ આશય વિશેષ થી વિધિ પૂર્વક તેની સેવા કરાવી એ પણ યોગબીજ છે.
વિવેચન: વીતરાગ પરમાત્મા પાંચ પરમેષ્ઠી માં અહુથી ઉત્તમ છે. તેથી તેમના પ્રત્યેના કુશળ ચિત્તાદી એ પ્રથમ યોગબીજ છે. એજ પ્રમાણે આચાર્યાદીને વિષે સંશુધ્ધ માનસિક કુશળ ચિત્ત ,વાચિક નમસ્કાર અને કાયિક પ્રણામ એવા ત્રણે પ્રકારના કાર્યો બીજું યોગબીજ જ છે. આ ત્રણે કાર્યો ઉપદેયબુધ્ધી ,દશ સંજ્ઞા રહિત અને ફળ ની આશા વગર કરાય તો જ તે બીજું યોગબીજ કહેવાય છે.
અહીં આદિ શબ્દમાં આચાર્ય-ઉપાધ્યાય -તપસ્વી-જ્ઞાનાદીની અપેક્ષાએ પન્યાસ,ગણી, સાધુ વગેરે મહાત્માઓ સમજવા.
વીતરાગની જેમ વીતરાગની આજ્ઞાને અનુસરનારા રાત્નાત્રયીના આરાધક , પાંચ મહાવ્રતને પાળનાર , સંસારના ભોગ સુખના ત્યાગી એવા આચાર્યાદી થી મુનીપદ સુધીના મહાત્મા પ્રત્યે પણ કુશળ ચિત્ત વગેરે પ્રાપ્ત થાય તો તે પણ યોગબીજ જ છે કારણકે પંચમ કાળ માં વીતરાગ પરમાંત્મા હાજર ન હોવાથી બીજા જીવોને આત્મ કલ્યાણ નો માર્ગ દેખાડનાર આચાર્યાદી જ છે. માટે તેઓ પ્રત્યે પણ ઉપાદેય બુદ્ધિ., બહુમાન ,ભક્તિભાવ,પૂજ્યભાવ,હાર્દિક સન્માન રાખવું. અને આ પણ યોગબીજ જ છે.
અજ્ઞાનતાથી જીન આજ્ઞાથી વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ
No comments:
Post a Comment