Wednesday, April 18, 2012

૧૧/૧૪/૧૧ સોમવાર પાનું ૧૧૯ ફકરો બીજો લાઈન ૬ થી પાનાના અંત સુધી

કુશળ ચિત્ત જીવને પરમાત્મા પ્રત્યે અને તેઓએ કહેલા ધર્મ અનુષ્ઠાન પ્રત્યે ઉપાદેય ભાવ થી એવો રાગ થાય છે કે બધી જ ( દશ) સંજ્ઞાઓ ચાલી જાય છે. ધર્મક્રિયાઓ લોક રંજન માટે નથી પરંતું આત્મ કલ્યાણ માટે છે. આત્માનું કલ્યાણ કરવું હોય તો માન નો ત્યાગ કરવો જ પડે. આત્મ કલ્યાણ અને માન પરસ્પર વિરોધી છે. જ્યાં માન હોય ત્યાં આત્મ કલ્યાણ હોય જ નહિ.
બીજું લોકો નું રંજન પણ દુષ્કર અને ક્ષણિક છે. લોકો પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી જ બીજાના વખાણ કરે છે અને પ્રશંશા કરે છે પરંતું પોતાનો સ્વાર્થ પુરો થતા નિંદા કરે છે. એટલે લોકરંજન એ સ્વાર્થ યુક્ત હોવાથી અને વાસ્તવિક ણ હોવાથી હેય છે ઉપાદેય નથી. માટે બધીજ (દશ) સંજ્ઞા ને અટકાવવા પૂર્વક ધર્મ ક્રિયાઓ કરે છે. જો આ જીવ સંજ્ઞા સાથે ધર્મ અનુષ્ઠાનો કરે તો તે સુંદર હોવા છતા માત્ર પુણ્ય બંધ કરાવે છે અને સંસાર સુખ ને વધારનાર છે પરંતું મોક્ષ મેળવવા મદદ કરતા નથી કારણકે તેમાં સંપૂર્ણપણે શુધ્ધી નથી.
પૂર્વે થયેલા યોગાચાર્યો કહે છે કે જે ધર્મ અનુષ્ઠાન સંસાર સુખોની જરા પણ આશા વગર સંપૂર્ણ પણે મોક્ષ હેતુની અભિલાષા પૂર્વક કરવામાં આવે છે તેજ મુક્તિહેતું છે.
અજ્ઞાનતા ને કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કહી પણ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ

No comments:

Post a Comment