બીજું લોકો નું રંજન પણ દુષ્કર અને ક્ષણિક છે. લોકો પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી જ બીજાના વખાણ કરે છે અને પ્રશંશા કરે છે પરંતું પોતાનો સ્વાર્થ પુરો થતા નિંદા કરે છે. એટલે લોકરંજન એ સ્વાર્થ યુક્ત હોવાથી અને વાસ્તવિક ણ હોવાથી હેય છે ઉપાદેય નથી. માટે બધીજ (દશ) સંજ્ઞા ને અટકાવવા પૂર્વક ધર્મ ક્રિયાઓ કરે છે. જો આ જીવ સંજ્ઞા સાથે ધર્મ અનુષ્ઠાનો કરે તો તે સુંદર હોવા છતા માત્ર પુણ્ય બંધ કરાવે છે અને સંસાર સુખ ને વધારનાર છે પરંતું મોક્ષ મેળવવા મદદ કરતા નથી કારણકે તેમાં સંપૂર્ણપણે શુધ્ધી નથી.
પૂર્વે થયેલા યોગાચાર્યો કહે છે કે જે ધર્મ અનુષ્ઠાન સંસાર સુખોની જરા પણ આશા વગર સંપૂર્ણ પણે મોક્ષ હેતુની અભિલાષા પૂર્વક કરવામાં આવે છે તેજ મુક્તિહેતું છે.
અજ્ઞાનતા ને કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કહી પણ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ
No comments:
Post a Comment