(૩) આપણી વૈયાવચ્ચ્થી ઉપકારીનો અપકાર (હાની,તકલીફ ) ન થવી જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ.
આપણે આપેલા આહાર વગેરે થી અપચો ન થવો જોઈએ. ભોજન,વસ્ત્રવગેરે ઉપર ત્યાગીની મમતા ન વધે તે માટે સાદી અને સાત્વિક વસ્તુ પરંતું ઉપયોગી થાય તેવી જ આપવી. દવા વગેરે થી કોઈ જાતના રિએકશન ન આવે અને રોગ ન વધે તેનો વિચાર કરીને જ આપવી.
(૪) વૈયાવચ્ચ કરતી વખતે આ આપણા આત્મઉપકારની તક છે તેમ સમજવું અને આવો અવસર વારંવાર મળે તેવી ભાવના ભાવવી. સાથે સાથે વૈયાવચ્ચથી આપણો પણ કોઈ અપકાર ન થાય તેનું ધ્યાન રાખવું. આપણા દૈનિક કાર્યોમાં ખલેલ ન પહોંચે, ધર્મ ક્રિયા વગેરે ચાલુ રહે અને પોતાની આજીવિકાના સાધનોને ધક્કો ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવું.
(૫) સેવા અને ભક્તિ એ પ્રભુની આજ્ઞા છે એમ સમજીને વિવેકપૂર્વક તેમની આજ્ઞા પ્રમાણે જ કરવી. કોઈ પણ જાતની આશાતના ન થાય તે પ્રમાણે સમજી વિચારીને જ કરવી. નવકારશી, રાત્રી ભોજન , અભક્ષ્ય ખાવાનું વગેરેના દોષો ન લાગે તેનું ધ્યાન રાખવું.
(૬)સેવાભક્તિ આત્મ કલ્યાણ માટે જ કરવી અને કોઈ પણ જાતના ( આ ભવ કે પરભવના ) પોદગલીક સુખની આશા વગર કરવી.
આ પ્રમાણે પોતાને અને પરને ઉપકારક થાય તેવી વિવેકપૂર્વક કરેલી વૈયાવચ્ચ એ ત્રીજું યોગબીજ છે.
ગાથાનો ભાવાર્થ ધ્યાનમાં રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે શુદ્ધ આશય વિશેષ થી વૈયાવચ્ચ કરવી અને શુધ્દ્ધ મનની વૃત્તિ માં
ઉપરના છ પ્રકારો આવી જાય છે.
આ શુદ્ધ આશય વિશેષ જયારે તે જીવના ભવોનો પરિપાક થાય ,મુક્તીપદની નજીક આવે, દેશોન અર્ધ આવર્ત જેટલો સમય બાકી રહે,કર્મોની લઘુતા થાય અને મીથ્યાત્વની મંદતા થાય ત્યારે જ આવે છે. આ જીવનો સ્વભાવ ગ્રંથીભેદ અને સમ્યગ દર્શન પામવાનો હોવાથી જ આવો શુદ્ધ આશય વિશેષ આવે છે.
અજ્ઞાનતાને કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ
No comments:
Post a Comment