Monday, April 23, 2012

૧/૩૧/૧૨મંગળવાર પાનું ૧૪૭ ફકરા બીજાથી પાનું ૧૪૮ ફકરો બીજો.

ચરમ આવર્ત વર્તી બહુભાવમલ ક્ષય યુક્ત જીવના લક્ષણો (ચાલુ)
() ત્રીજું લક્ષણ : બધા જ યોગ્ય જીવો પ્રત્યે  કોઈ પણ જાતના ભેદભાવ કર્યા વગર (અવિશેષપણે ) ઔચિત્ય (ઉચિત) આચરણ કરવું તે છે.
દુર્બળ,દુખી,ગરીબ વગેરે દયાને પાત્ર જીવો પ્રત્યે કોઈ પણ જાતના ભેદભાવ વગર અવશ્ય અનુકંપા કરવી. અને ગુણવાન પાત્ર જીવો ઉપર ભક્તિ ભાવ થી સેવા કરવી અથવા તો જયા જયા જે જીવો ઉપકારી હોય ત્યાં ત્યાં તે પ્રમાણે ભાવ થી વર્તવું અને  જ્યાં જ્યાં અપકારી જીવો હોય ત્યાં ત્યાં તેનો ત્યાગ કરવો તેને ઔચિત્ય (ઉચિત) આચરણ કહેવાય છે.
આ રીતે ઉપકારી ભાવ ને મુખ્ય કરીને  વર્તવું તે જ અતિશય ભાવમલક્ષય નું ત્રીજું લક્ષણ સમજવું
આવા આચરણ થી જીવમાં અપકાર કરનારી(અસત્ત) ખોટી પ્રવૃત્તિ નો નાશ થતો જાય છે અને સત્ત પ્રવૃત્તિઓ નો વધારો થાય છે.
અજ્ઞાનતા ન કારણે જીન આજ્ઞા થી વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ.






No comments:

Post a Comment