Tuesday, April 17, 2012

૧૨/૧૩/૧૧ મંગળવાર ગાથા ૨૮ પાના ૧૩૭ છેલ્લા ફકરા થી પાના ૧૩૯ - #૬ સુધી

૬ઠું યોગબીજ - ધર્મશાસ્ત્રો લેખનાદીમાં ૧૦ શબ્દોનો સમાવેશ છે.
૧) લેખના- જેમ દેવ, ગુરૂ ઉપકારી છે તેમ જ પરમશ્રુતજ્ઞાન રૂપ ધર્મશાસ્ત્રો પણ એટલાજ સ્વ -પર ને ઉપકારી છે. પંચમકાળમા સ્મૃતિભ્રંશ થતા જોઈને પૂજ્યશ્રી દેવાધીગણીક્ષમાશ્રમણે જૈનાગમોને પુસ્તાકારૂઢ કર્યા, પૂર્વાચાર્યોએ ઘણો પરિશ્રમ કરીને આ ગ્રંથો લખ્યા અને શ્રાવકો પાસે લક્ષ્મીનો સદુપયોગ કરાવી લખાવ્યા ત્યારે આ વિષમકાળે શ્રી ચતુર્વિધ સંઘને પવિત્ર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું કારણ સંભવે છે. એટલે સત્શાસ્ત્રો લખાવવા, છપાવવા, ઉંચી ક્વોલિટીના કાગળો,પુઠા, બાઈન્ડીંગથી પ્રકાશિત કરવા જેથી ગ્રંથ દીર્ઘાયુષી, આકર્ષિત બને અને જોતાજ વાચવાનું મન થાય , બહુમાન થાય આવી શાસનપ્રભાવના કરવી એ યોગબીજ છે.
મીત્રાદ્રષ્ટિમા આવેલા જીવને આ સંસારની કટુતા જાણી મુક્તિની તીવ્ર અભિલાષા જાગી છે. મુક્તિમાર્ગ જાણવા માટે શાસ્ત્રોજ ઉપકારી છે, ભવ-વ્યાધીને દૂર કરવામા ઔષધ છે, સર્વવ્યાપી ચક્ષુ સમાન છે , સર્વાપ્રયોજનનું સાધન છે, પરોપકાર કરવા કરાવવા થી પુણ્યબંધનું કારણ છે એટલે આવો જીવ યોગ્ય પાત્રો ને ઉપરની બધી પ્રભાવના વધુ ને વધુ કરાવવાની ઈચ્છા કરી છઠ્ઠુ યોગબીજ પ્રાપ્ત કરે છે.
૨)પૂજના - શાસ્ત્રપ્રેમી પુણ્યાત્મા મોટા બાજોઠ કે સાપડા ઉપર સુન્દર-આકર્ષક વસ્ત્ર મૂકી એના ઉપર પુસ્તક રાખી એની પુષ્પ-વાસક્ષેપ આદિથી પૂજા કરી શ્રુતજ્ઞાનનું બહુમાન કરે છે.
૩)દાન - આત્માર્થી બીજાને વધારે શ્રુતજ્ઞાન મળે એના માટે નિસ્પૃહ અને નિસ્વાર્થ ભાવે ભણેલું જ્ઞાન તેઓને ભણાવે, ભણવા માટે પુસ્તક આપે અને પ્રભાવના કરે.
૪)શ્રવણ - પરમ વૈરાગી- સમ્યગ્જ્ઞાની મુમુક્ષુ વડે કરાતું ધર્મશાસ્ત્રોનું પ્રવચન અને ઉત્તમ નિર્ગ્રંથ મુની ના વ્યાખ્યાન સાંભળે.
૫) વાચના - શરીર,વસ્ત્ર અને મનશુદ્ધી સાચવીને અત્યંત બહુમાનપૂર્વક, વિનય -વિવેકપૂર્વક ઉત્તમ સત્શાસ્ત્રોનું સતત વાંચન કરી પોતાની સ્મરણ, ચિંતન અને અનુપ્રેક્ષા શક્તિની વૃદ્ધિ કરવી કારણકે જ્ઞાનવાન યોગી નો યોગ દુર્લભ છે અને મળે તો પણ સતત એનો વચનયોગ ચાલવો અશક્ય છે.
૬) ઉદગ્રહ - જ્ઞાન એ દીપક છે. એની પ્રાપ્તિ માટે યોગવહન, આયમ્બીલ તપ ઉપધાન કરી ગુરુમુખે સૂત્રની અનુજ્ઞા લઇ વિધિપૂર્વક મહામંગલકારી શાસ્ત્રાધ્યયન કરવુ આવશ્યક અને મહાન હિતકારી છે, આત્માની પરિણતિ સુધારનાર બને છે અને જીતેન્દ્રિય થવા ઉપકારી છે. યોગવહન ને ગુરુમુખ વિના મેળવેલા જ્ઞાનથી અનર્થ અને અનિષ્ટ ની સંભાવના રહે.
જીનઆજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામીદુક્કડમ.

No comments:

Post a Comment