અહીં નિયતી અને પુરુષાર્થની સાપેક્ષતા બતાવવામાં આવે છે.
દાખલા તરીકે: મુંબઈ જવા ઉપાડેલી ગાડી મુંબઈ પહોંચશે જ અને રસ્તામાં ક્રમસર નડિયાદ, વડોદરા,ભરૂચ, સુરત,વલસાડ વગેરે ગામો પસાર કરીને જ મુંબઈ આવશે. આ બધું નિયત (નક્કી) ને ક્રમસર હોવા છતા પણ ડ્રાઈવર ચલાવવા (પુરુષાર્થ) વડે જ ,લાઈન મળવા વડે જ, પાટાની સાનુકુળતા રૂપ નિમિત્ત વડે જ પહોંચાડવાની છે. આ બધા જ કારણો પણ જોઈએ જ .
મરીચી નો આત્મા મહાવીરસ્વામીપણાના પર્યાય ને અવશ્ય પામવાનો હતો જ પરંતું તે પર્યાયના મેળવવા રૂપ પુરુષાર્થ વડે જ . પૂર્વે ત્રીજા ભવમાં માસક્ષમણના પારણે માસક્ષમણ કરવા રૂપ પુરુષાર્થ, ચરમ (છેલ્લા ) ભાવમાં સાડા બાર વર્ષ ખુબ જ ઉપસર્ગ સહન કરવા રૂપ પુરુષાર્થ, ધ્યાન,તપ, ચરિત્ર સેવવા રૂપ પુરુષાર્થ દ્વારા જ મહાવીરપણા ના પર્યાયને પામવાના હતા.
મહાવીર ભગવાન જન્મ સમયેજ કેવળ જ્ઞાનપણા ને પામવાના હતા તે નક્કી જ હતું (અને તેમને ત્રણ જ્ઞાન હોવાથી જાણતા પણ હતા) છતા પણ દીક્ષા લેવાનો અને તપ ધ્યાન ચારિત્ર સેવવાનો પુરુષાર્થ કાર્યો!
માટે નિયતી પણ પુરુષાર્થ વગેરે કારણો ની અપેક્ષા ના કારણે જ નક્કી (નિયત) છે.
પાંચ સમાવાય ના પાંચ કારણો માં આપણે નિયતી ને પણ માનવાની જ છે પરંતું પુરુષાર્થ ને સાથે રાખીને.
એવી જ રીતે ઉપાદાન પણ નિમિત્ત ની હાજરીમાંજ કાર્ય કરે છે. એકલું ઉપાદાન કર્યા સાધક નથી.
એકલો નીક્ષ્ચય ઉપકારક નથી પરંતું વ્યવહાર સાપેક્ષ નીક્ષ્ચય જ ઉપકારક છે. અને નીક્ષ્ચય સાપેક્ષ વ્યવહાર ઉપકારક છે.
સ્યાદવાદી આત્માઓ ને સાપેક્ષ પ્રમાણે વિચારેલા નયો જ (આત્મ કલ્યાણ માટે) ઉપકારી છે.
અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ
No comments:
Post a Comment