આનંદઘનજી અને દેવેન્દ્રસુરી જેવા પૂર્વાચાર્યોએ આ પદો થી એ સમજાવ્યું છે કે કારણ વગર કર્તા કાર્યની સિદ્ધિ કરી શકતો નથી. એમાં કોઈ સવાલ જ નથી. કોઈ પણ કાર્ય ની સિદ્ધિમા પાંચ સમવાય હોવા જરૂરી છે. તેમાં પણ પુરુષાર્થ જ આપણા હાથમાં છે.અનાદિકાળથી પુરુષાર્થ સાથે નિયતી આદિ ચાર કારણો હોવાથી જ કાર્ય થાય છે. નિયતી કર્મબદ્ધ પર્યાય પ્રમાણે જ બધું થશે પુરુષાર્થની જરૂર નથી તે એકાંતવાદ હોવાથી ઉત્સુત્રપ્રરૂપણા કહેવાય. તેવીજ રીતે ઉપાદાન હોય પણ યોગ્ય નિમિત્ત રૂપ કારણ સાથે ન હોવાથી પણ કાર્ય સફળ થતું નથી. બન્ને ઉપાદાન અને નિમિત્ત એકબીજાને આધીન છે. પ્રભુની સમતામય અમૃતવાણીનું અવલંબન એ જગમાં ઉત્તમ નિમિત્ત છે. તેનું અવલંબન લઇ આત્માનું ઉપાદાન જીનેશ્વર પ્રભુની જેમ સિદ્ધ બની શકશે.
આમ નિશ્ચય અને વ્યવહાર નય બન્નેની અપેક્ષા રાખવી અને ઉપાદાન અને નિમિત્ત બંનેની પ્રધાનતા રાખવી. કોઈ પણ એક ની પ્રદ્ધાનતા કરી એકાંતવાદી ન થવું.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ
No comments:
Post a Comment