ગાથા ૧૯, પાના # ૯૯ થી ૧૦૨ ૮.૨૪.૨૦૧૧
પ્રથમ ચાર દ્રષ્ટિ - મિત્રા, તારા,બલા, દીપ્રા- પ્રતીપાતી છે ( પડવાના સ્વભાવ વારી પણ પડે જ એવો નિયમ નથી ) અને પાછળની ચાર - સ્થીરા, કાન્તા, પ્રભા, પરા - પ્રતિપાત યુક્ત નથી .
પ્રતિપાતને કારણે પ્રથમની ચાર અપાયવારી છે અને પાછળની ચાર અપાયવાળી નથી પણ સમ્યક્ત્વ, દેશવીરતી આદિ ગુનસ્થાનાકેથી ઉપશાન્ત્મોહ ગુણસ્થાનક (૧૧મુ ) સુધી ચડેલા આત્માઓ ત્યાંથી પડીને પહેલે ગુણસ્થાનક પણ આવી જાય છે . એટલે સ્થીરાદી દ્રષ્ટિઓ પણ પ્રતિપાત વાળી ભાસે છે પરંતુ પહેલે ગુનસ્થાનકે જવા છતાં જીવ અંતઃ કોડાકોડી સાગરોપમથીઅધિક સ્થિતિ બંધ કરતો નથી તથા વધુમાં વધુ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તમાં અવશ્ય પુનઃ ઉપર આવી જ જાય છે. માટે તે પ્રતિપાત પ્રતિપાત કહેવાતો નથી. જયારે પ્રથમની ચાર દ્રષ્ટિમાં જીવ હજુ મિથ્યાત્વી જ હોવાથી પુનઃ ગાઢ મિથ્યાત્વી પણ એવો થયી જાય છે કે જીવ પુનઃ ક્યારે પાછો મંદ મિથ્યાત્વી થાય તે કહેવાય નહિ. પહેલી ચાર દ્રષ્ટિમાં પડેલા જીવના સંસારની પરીમીતાતનું પ્રણામ નક્કી ન હોવાથી આ દ્ર્શ્તિઓ પ્રતિપાત વારી છે
મિત્રા, તારા , બલા, દીપ્રા દ્રશ્તિઓમાં મોહનીયકર્મના વિપકોદયના સામર્થ્ય થી થનારા પ્રતિપાત કાલે જીવમાં આવનારી દુર્ગતિ-હેતુ તા હજુ સર્વથા નષ્ટ થયી નથી તેથી આ ચાર જ દ્રશ્તીઓ આવા ભય વારી છે. જયારે સ્થીરા, કાન્તા, પ્રભા,પરા દ્રશ્તિઓમાં પ્રતિપાત કાલે દુર્ગતિ-હેતુતા જીવમાં આવે એવો ભય નથી કારણકે મોહનીય કર્મ નો વિપાકોદય એટલો તીવ્ર થતો નથી
દુર્ગતિ-હેતુતા સમજાવતો દાખલો - શ્રેણિક મહરાજ આદિ જેઓ ક્ષાયિક સમ્યક્ત્વ પામેલા છે (સ્થીરાદી દ્રષ્ટિ માં છે ) પણ પૂર્વ બદ્ધ કર્મ ના કારણે નરકમાં ગયેલ છે પણ તેમને નરકનો ભવ દીર્ઘ સંસાર હેતુ બનશે નહિ . આવો જીવ જો સ્થીરાદી ચાર દ્રષ્ટિ માં આવ્યા પછી દુર્ગતિમાં જાય એવું કર્મ બંધાતો નથી પણ જો જીવ આવી દ્રષ્ટિમાં આવ્યા પહેલા દુર્ગતિનું કર્મ બાંધી લે તો તે જીવ સ્થીરાદી ચાર દ્રષ્ટિમાં આવ્યા છતાં દુર્ગતિમાં જાય છે પણ ત્યાં એ જીવની સદદ્રષ્ટિ હણાતી નથી અને સમાંતાવત આત્મા પોતાના આત્મ ભાવમાં મગ્ન પણે વર્તે છે અને દુર્ગતિ તેમને દીર્ઘ સંસાર હેતુ બનતો નથી.
વ્યાકરણ અને જોડણીની ભૂલો સુધારીને વાંચશો.
અજ્ઞાનતા કે પ્રમાદને કારણે ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું તો મિચ્છા મી દુક્કડમ .
No comments:
Post a Comment