જેમકે દેવોના ઇન્દ્ર નું નામ દેવેન્દ્ર હોય તો તે બંધ બેસતા અર્થવાળું યથાર્થ ગુણ પ્રમાણે નામ છે. પરંતું કોઈ પૃથ્વી લોક ના બાળક નું નામ દેવેન્દ્ર રાખવામાં આવે તો તે નામ ઉપચારથી જ છે ને ગુણ પ્રમાણે નથી.
આવી જ રીતે અનાદિકાળથી જીવનું જે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાતું હતું તે ઉપચાર થી જ હતું અને ગુણ પ્રમાણે ન હતું કારણ કે ગુણસ્થાનક કહેવાય તેવા કોઈ ગુણો (આત્મ કલ્યાણ ના) પ્રગટ થયા ન હતા.
હવે આ જ જીવ જયારે ચરમાંવર્ત ને ચરમયથાપ્રવૃત્ત કરણમાં આવે છે ત્યારે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક એવા નામમાં જે ગુણસ્થાનક એવા શબ્દ નો ઉપયોગ કરાયો છે તે યથાર્થ અને ગુણ પ્રમાણે છે. આ જીવમાં ભવઉદ્વેગ, યોગ,ક્રિયા,ફલની અવંચક ત્રિપુટી વગેરે ગુણો પ્રગટ થયા છે.
જીવ જયારે ઓઘ દ્રષ્ટિમાંથી મિત્રાં નામની યોગ દ્રષ્ટિમાં આવે છે ત્યારે જ ખરેખર ગુણસ્થાનક કહેવાય છે અને આનેજ આગમમાં પ્રથમ મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે. કારણકે આ અવસ્થામાં જ ગુણો પ્રગટ થવાની સંભાવના છે અને ગુણસ્થાનક શબ્દ ની યથાર્થતા સંભવે છે.
આ અવસ્થામાં હજી મિથ્યાત્વ ગયું નથી અને સમ્યક્ત્વ પ્રગટ્યું નથી પરંતું ભાવમલ નો બહુ ક્ષય થયો છે અને સન્માર્ગે જવાની યોગ્યતા પ્રાપ્ત થવાની શરૂઆત થઇ છે. મુક્તીમાંર્ગનું પહેલું પગથીયું છે. મોટા મહેલ રચવાના પાયારૂપ છે.
મિત્ર દ્રષ્ટિમાં યોગનાં ગુણો આવવાથી ચિત્ત રૂપી જમીન વાવણી યોગ્ય બને છે. વૈરાગ્યરૂપી પાણી પાવાથી જરા પોચી બને છે અને તેમાં મિત્રાં દ્રષ્ટિ નામના યોગબીજની વાવણી ની શરૂઆત થાય છે. ઉત્તમ નીમીત્તોના સંયોગ રૂપી ખાતર-પાણી મળે છે. તેનાથી પરમાત્માની અને સદગુરૂ પ્રત્યે ભક્તિ પ્રગટે છે. આત્મકલ્યાણ નાં ગુણોનો વિકાસ થાય છે અને સમ્યકત્વ વગેરે ફળ મળેજ છે.
અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ
No comments:
Post a Comment