Tuesday, July 26, 2011

07/26/2011 (Tuesday) page 88-90 gatha 16


૦૭/૨૬/૨૦૧ ગાથા ૧૬ – દ્રષ્ટિવાર દોષ પરિહાર, યોગના અંગની પ્રાપ્તિ, અને ગુણની પ્રાપ્તિ

ગાથાર્થ: ખેદ આદિ દોષોન પરિહારથી યમ આદિ યોગના અંગોથી યુક્ત એવા આત્માનોને અદ્વેષ આદિ ગુણમયએવી દ્રષ્ટિ અનુક્રમે હોય છે.

ખેદ વગેરે ચિત્તના દોષો હેય (ત્યજવા જેવા) છે. ’અદ્વેષ આદિ ગુણો ઉપાદેય (પ્રાપ્ત કરવા જેવા) છે.


યોગના આઠ અંગો:

શરીર અવયવી (અંગી) છે. હાથ-પગ-માથું-પેટ-હ્રદય-પીઠ-આદિ શરીરનાં આઠ અવયવ (અંગ) છે. દ્રષ્ટિનો અંગી છે અને યમ-નિયમ-આસન વગેરે યોગનાં અંગો છે. શરીરનાં અંગો જોડવાથી અંગી (શરીર) ની રચના થાય છે, તેમ યમાદિ અંગોના સંધાનથી દ્રષ્ટિરુપ યોગાત્મક અવયવી (શરીર) ની નિષ્પત્તિ થાય છે.

૧) યમ: મુખ્યવ્રત = યમ. પ્રાણાતિપાતવિરમણ, મ્રુષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, અને પરિગ્રહવિરમણ – આ પાંચ મહાવ્રત કે અણુવ્રતરુપ હોય તેને યમ કહેવાય. યાવજ્જીવનું વ્રત તે યમ, અને પરિમિત કાળવાળું જે વ્રત તે નિયમ.

૨) નિયમ: અણુવ્રત કે મહાવ્રતાત્મક પાંચ યમોની વ્રુદ્ધિ-પુષ્ટિ તથા કંટાની વાડ જેમ ધાન્યનું તેમ રક્ષણ કરે, તેમ સંરક્ષણ કરનાર એવાં બીજાં નાનાં-મોટાં જે વ્રતો તે નિયમ કહેવાય છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ-ધ્યાન, આ પાંચ નિયમ કહેવાય છે.

૩) આસન: બેઠક કરવી, સ્થિર થવું, સ્થિરતા પૂર્વક બેસવું, તેના બે ભેદ છે. અ) દ્રવ્યથી: કાયાની ચંચળતાને રોકી, પદ્માસને, પર્યંકાસને, વીરાસનાદિ આસનવિશેષમાં બેસવું, સ્થિર થવું. બ) આ આત્માને પરભાવથી ચંચળતાને રોકી આત્મભાવમાં સ્થિર થવું, એકાકાર બની જવું તે ભાવ આસન.



Monday, July 25, 2011

07/25/2011 (Monday) Page 86,87


1. શેરડી,

2. શેરડી માંથી શેરડી નો કાઢેલ પ્રવાહી રસ,

3. પ્રવાહી રસને ઉકાળીને બનાવેલ કાવો,

4. કવને ઠારવાથી બનેલો ગોળ,

5. તેમાંથી બનેલી ઝીણી ખાંડ,

6. ખાંડ માંથી બનેલી ઝીણી સાકાર

7. ઝીણી સાકાર માંથી બનેલી મોટા સાકાર ના ચોસલા

8. મોટા સાકાર ના ચોસલા માંથી બનાવેલો હાર.

  • આમ, આઠે દ્રષ્ટિઓ, ઉપરોક્ત ઉદાહરણ અનુસાર અનુક્રમે રૂચી - શ્રદ્ધા - આત્મતત્વ નો પ્રેમ - પર્માંર્થ્ તત્વ ની પ્રીતિ ના વિષય વાળી હોઈ છે, ક્રમશ: સવેગ રૂપી મધુરતા વાળી હોઈ છે.
  • જો શેરડી ના હોઈ તો રસ ના નીકળે, રસ ના હોઈ તો કકબ ના બને, કક્બ ના હોઈ તો ગોળ ના બને, તેવી રીતે મિત્રાદ્રષ્ટિ ના આવે તો તારાદ્રષ્ટિ ના આવે, તારાદ્રષ્ટિ ના આવે તો બલાદ્રષ્ટિ ના આવે ઈત્યાદી સમજવું.
  • અનાદીકાળ થી અનંતકાળ સુધી મિથ્યાત્વી રહેવાના છે તેવા અભવ્ય જીવો માં સંવેગરૂપ પરિણામ થવાના નથી, અને કદી યોગ ની દ્રષ્ટિ મળવાની નથી, મિત્રાદી યોગ ની દ્રષ્ટિ ભવ્ય જીવ માં પણ કાલ ના પાક્ય આવે
  • ભવ્યાતમાં

) અચર્માંવર્ત કાલ માં જીવ ઔઘ્દ્રષ્ટિ
)ચર્માંવર્ત માં ઘણો કાલ ગયે છતે બહુ ભાવમલ ક્ષય થયે, પ્રથમ ની ચાર દ્રષ્ટિ આવે છે, અને જીવ યોગદ્રષ્ટિ બને છે, પશ્ચાત કાલ માં બાકીની ચાર દ્રષ્ટિ આવે છે.

  • દ્રષ્ટિઓ બદલાતી હોવાથી આત્મદ્રવ્ય નિત્ય હોવા છતા પરિણામી નિત્ય છે, પરિવર્તન પામનાર એવો નિત્ય છે, પરંતુ એકાંતે નિત્ય અથવા
  • કારણ ) સાંખ્યદર્શન અને ન્યાયવૈશેષિક મત અનુસાર એકાંતે નિત્ય હોઈ તો આત્મદ્રવ્ય નું પરિણામન થાય નહિ કે દ્રષ્ટિ બદલાય નહિ, પણ રૂપાંતરણ થતું હોવાથી એકાંતે નિત્ય રહે નહિ.
  • કારણ ) અન્યદર્શનશાસ્ત્ર અને જૈનદર્શન માં પણ એકાંત નિશ્ચયનય નું આલંબન લઇ વ્યવહારનય નો નિષેધ કરનારા માન્યતા અનુસાર એકાંતે ક્ષણિક હોઈ તો એક સમય માં જે આત્મદ્રવ્ય છે તે બીજે સમયે નથી, અને આમ ઓઘદ્રષ્ટિ માંથી યોગ્દ્રષ્ટિ થાય નહિ, ,માટે એકાંતે ક્ષણિક નથી.
  • માટે બંને એકાન્ત્દ્રષ્ટિ બરાબર નથી, અને પરિણામી નિત્ય આત્મવાદ યુક્તિસંગત છે, અને તે સ્વીકારવાથી ભવ થી મુક્તિ તરફ નું પ્રયાણ ઘટી શકે છે.

Wednesday, July 20, 2011

07/20/2011 (Wednesday) આઠમી પરા દૃષ્ટિ અને આઠ દૃષ્ટિ વિષે વધારે ખુલાસો

Gatha 15 Page 82 last paragraph through page 85 end
ત્દભાવેન: આ દૃષ્ટિ વાળા જીવને પોતાની સ્વભાવ દશાનું ઉત્તમ સુખ વર્તે છે. આ આત્માં નું જીવન દોષ રહિત હોવાથી તેને પ્રતિક્રમણ વગેરે ધર્મ ક્રિયાઓ હોતી નથી. જેમે સાધ્ય સાધી લીધું હોય તેને સાધન કે સાધનાંની જરૂર રહેતી નથી. હમેશા બીજા ના ઉપકાર માં જ સમય વિતાવે છે.આ પરોપકારિતા પણ પોતાના કર્મના (તીર્થકર નામકર્મ વગેરે ) કારણે કરે છે અને તે કર્મો ખપાવવા પુરતી જ કરે છે. પરંતુ (વ્યવહારનયથી) આ દેશના પરજીવોને ઉપકારી હોવાથી આ ભગવંતો પરોપકારી કહેવાય છે.
સામાન્યથી સદ્દ્રષ્ટિ(એટલે કે સમ્યાગ્દ્રષ્ટિ)વાળા યોગીની આઠ પ્રકારની દ્રષ્ટિ હોય છે.
અહીં એવી શંકા થવી સંભવિત છે કે સમ્યગદ્રષ્ટિ જીવની દ્રષ્ટિ તો સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એમ ચાર જ થવી જોઈએ. પ્રથમ ની ચાર તો મિથ્યા દ્રષ્ટિ કાળે હોય છે.
આ હકીકતતો સાચી છે , પરંતુ પહેલી ચાર દ્રષ્ટિ મિથ્યાત્વની મંદતાજન્ય હોવાથી યોગરૂપ બનવાના કારણે સમ્યગ દ્રષ્ટિની પ્રાપ્તિનું અચૂક કારણ બનતી હોવાથી પ્રથમની ચાર દ્રષ્ટિ પણ સદ્દ્રષ્ટિ જ કહેવાય છે.
આ સમજાવવા માટે ગ્રંથકાર મહર્ષિ વર્ષોલક (મોટી સાકરના) હાર બનાવવાનું ઉદાહરણ આપે છે.
આ હાર ની શરૂઆત (૧)શેરડી ના સાંઠાથી થાય છે.(૨) તેમાંથી રસ કાઢવામાં આવે છે. (૩) રસને ઉકાળીને કાવો (માવો) બનાવવામાં આવે છે. (૪) કવને ઠારવાથી ગોળ બને છે. (૫) ગોળમાંથી જીણી ખાંડ બનાવે છે. (૬) તેમાંથી ઝીણી સાકર બનાવે છે. (૭) ઝીણી સાકારમાંથી મોટી સાકરના ચોસલા બનાવવામાં આવે છે. અને તેમાંથી (૮) વર્ષોલક નો હાર બનાવવામાં આવે છે.
આ રીતે જેમ સાંઠો કાલાન્તરે રૂપાંતર પામીને વર્ષોલક બને છે તેમ મિત્રા દ્રષ્ટિ જ કાલાન્તરે તારા દ્રષ્ટિ અને તારા દ્રષ્ટિ કાલાન્તરે બલા દ્રષ્ટિ બને છે.
એમ સર્વે દ્રષ્ટિઓ પણ યોગાત્મક છે.
બાળ બુદ્ધિથી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાઇ ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ


Tuesday, July 19, 2011

07/19/2011 (Tuesday) Gatha 15

ગાથા ૧૫ પાનું ૮૧-૮૨ ૦૭/૧૯/૨૦૧૧

ગાથા 15
પાનું-૮૧ બીજા ફકરાથી પાનું-૮૨ છેલ્લેથી બીજા ફકરા સુધી

સાતમી પ્રભાદ્રષ્ટિ:
  • આ મહાત્માને સમતાના સુખનો જ સ્વાદ લાગે છે.
  • અન્ય કોઈ શાસ્ત્રપાઠનો કે શ્ર્લોકોનો આધાર લીધા વિના ચિતને નિર્વિકલ્પ રાખી શકે છે અને પ્રશમભાવમાં સુખ માણી શકે છે.
  • પોતાના આત્માનો અનુભવજ સુખકારક બને છે, અને સર્વ અનુષ્ઠાનો સમાધિનિષ્ઠ હોય છે.
  • અલ્પ પણ ચલ-વિચાલતા કે આકુલવ્યકુલતા સંભવતી નથી.
  • તેમના આત્મામાં એટલી બધી પ્રશાંતવહીતા પ્રસરે છે તથા તેની આજુ-બાજુના દ્રવ્ય-ક્ષેત્રમાં પણ એવી પ્રશાંતવહીતા ઝળકે છે કે તેમના સાનિધ્યમાં ફરતા વાઘ-બકરી, કે સર્પ-નાકુલાદિમાં જતીબદ્ધ વૈરનો પણ નાશ થઇ જાય છે.
  • કલ્યાણકરી અમૃતમય ધર્મદેશના દ્વારા નિરંતર પરોપકાર-પરાયણપણે જ આ આત્માઓ વર્તે છે.
  • પોતે મહાયોગી હોવાથી તેઓના મુખકમળમાંથી એવી ઉતમ ભવ્ય દેશના વહે છે કે જે પ્રાયઃ પરનો ઉપકાર કરનાર જ બને.
  • શિષ્યો પ્રત્યે ઔચિત્યયોગ આચરે છે. પ્રત્યેક શિષ્યોનું જે ભાવે આત્માહિત થાય તે ભાવે તેમના પ્રત્યે ઉચિત આચરણથી વર્તે છે.
  • કોઈપણ શિષ્યો પ્રત્યે રાગ, મમતા, પક્ષપાત , વેરઝેર, આન્તેરકલેશ, આદિ સમસ્ત દુષણોથી રહિત તથા શિષ્યોના વિનય-સેવા-ભક્તિ-વૈયાવચ્ચ આદિની તાલમાત્ર પણ અપેક્ષા હ્ર્દયમાં રાખ્યા વિના સ્વસ્વભાવ-પારાયણ આ મહાત્માઓ માત્ર શિષ્યોના આત્માકલ્યાણ અર્થે ધર્મદેશના અને હિતશિક્ષા આપવા દ્વારા ઉચિતપણે પ્રવર્તે છે.
  • અવિનીત શિષ્ય પ્રત્યે તેમનું મન અલ્પ અંશે પણ દુભાતું નથી, તેમના પ્રત્યે લેશ માત્ર પણ અરુચિ કે દ્વેષભાવ પેદા થતો નથી.
  • એટલેજ એમની ધર્મક્રિયા સદા અવન્ધ્ય (સફળ) જ બને છે, નિયમા પોતાને કર્મક્ષયરૂપ ફળ આપનારી જ થાય છે તથા શિષ્યોનો પણ ઉપકાર કરવાવાળી જ બને છે.
  • પ્રભાદ્રષ્ટિ એ કેવળજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વકાલવર્તી સર્વોત્તમ નિર્વિકલ્પ અવસ્થાવાળી દ્રષ્ટિ છે.
  • વ્યવહારથી પ્રશસ્ત ગણાતા કષાયો પણ આ દ્રષ્ટિમા આવેલા મહાત્મા ત્યજી દે છે.
  • મોક્ષનો રાગ, સંસારનો દ્વેષ, દુખી પુરુષો પ્રત્યે કરુણા, પરના દુખો દુર કરવાની પર-પ્રત્યયિકદ્રષ્ટિ, શુભ (પ્રશસ્ત) હોવા છતાં પણ સંકલ્પ-વિકલ્પ કરાવનાર છે, મનની ધારણા પ્રમાણે ન થય તો કલેશ કરાવનાર છે. આ પ્રમાણે પ્રશસ્ત રાગ-દ્વેષ પણ પર-પ્રત્યયિક ભાવ હોવાથી અહી આવેલા મહાત્માઓ તે પ્રશસ્ત રાગ-દ્વેષનો પણ ત્યાગ કરે છે.

આઠમી પરાદ્રષ્ટિ:
  • ચંદ્રમાની ચાંદની સમાન સુંદર નિર્મળ બોધવાળી હોય છે.
  • સૂર્ય પણ સમસ્ત પૃથ્વી ઉપર તેજ પ્રકાશ પાથરે છે તો પણ તે ઉગ્ર છે, તાપયુક્ત છે, અને તેનો પ્રકાશ ગરમ ગરમ લાગે છે.
  • જયારે ચંદ્રની ચાંદની શીતલ અને આહ્લાદક લાગે છે, માટે ચંદ્રનો પ્રકાશ સૌથી શ્રેષ્ઠ છે. તેના જેવું જ્ઞાન (બોધ) પરદ્રષ્ટિમા હોય છે.
  • સર્વથા શ્રેષ્ઠ, સર્વથા અંતિમ એટલે પરાદ્રષ્ટિ. શ્રેષ્ઠમા શ્રેષ્ઠ આ દ્રષ્ટિ છે. આના થી શ્રેષ્ઠ અન્ય કોઈ દ્રષ્ટિ હવે નથી.
  • ચંદ્ર પૃથ્વીને પ્રકાશિત કરતો હોવા છતાં પૃથ્વીરૂપ બની જતો નથી.
  • તેમ પરાદ્રષ્ટિમા આવેલો આત્મા જ્ઞાન દ્વારા ત્રણે ભુવનને પ્રકાશિત કરે છે (જાણે છે), પરંતુ આત્મા કે આત્માની જ્ઞાનદશા ત્રણ ભુવનરૂપ બની જતી નથી.
  • જ્ઞાતા કે જ્ઞાન આ બેમાંથી કોઈપણ જ્ઞેયરૂપે બને જતા નથી.
  • આ બોધ સર્વકાળે સદધ્યાન રૂપ જ હોય છે.
  • આત્મદ્રવ્ય અત્યંત શુદ્ધ બન્યું હોવાથી સદા સદધ્યાનમય એટલે કે સમાધિમય જ હોય છે.
  • પરભાવદશા ન હોવાથી વ્યગ્રતા કે આકુલ-વ્યાકુળતા સંભવતી જ નથી.
  • સદધ્યાનમય અવસ્થા = સદા સમાધિમય આ આત્મા હોય છે, પણ ઉત્તમ ધ્યાન એમ અર્થ ન કરવો, કારણકે આ અવસ્થામાં આત્માને ધ્યાનાન્તારિકા દશા હોય છે. ધર્મ ધ્યાનના ચાર ભેદો કે શુક્લધ્યાનના પ્રથા બે ભેદો આ આત્મા કેવલી હોવાથી ઓળંગી ગયા છે (આ છ ભેદો છદ્મસ્થ ને જ હોય છે).
  • અંતિમ બે ભેદ યોગનીરોધાત્મક હોવાથી તેરમાના અંતે આવવાના છે એટલે અહીં ધ્યાન શબ્દનો અર્થ ચિતની એકાગ્રતા અથવા સ્થિરતા એ રૂપ ન લેવો પરંતુ સમાધિસ્થ એવો અર્થ સમજવો.
  • તેઓ નું મન વિકલ્પ રહિત હોય છે.
(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)