ગાથા નં ૧૫, પાના નં ૮૦-૮૧ તા. ૭-૧૧ ૧૧
સાતમી પ્રભાદ્રષ્ટિમાં:
1.સૂર્યના પ્રકાશ જેવો જાજ્વલ્યમાન, ઉગ્ર અને અપરિમિત બોધ.(તારા ના પ્રકાશ ની જેમ મંદ અને પરીમીત નહિ)
2 આત્મતત્વચીન્તનમાં નિર્ભયતાથી એકાકાર બને છે.
3 મોહનીય કર્મ નો ક્ષય થતા ચિત્ત નિર્વિકલ્પ બને છે
4 ગમે તેવા ઉપસર્ગ કે પરિશહને નિવારવા કે પ્રતીકારવા માટે ચિત્ત જરા પણ આકુળ-વ્યાકુળ કે ચલ-વિચલ થતું નથી
5 શરીર સુખ ને સુખ ન માનતા સમતાના સુખમાજ રમે છે
6 "પ્રશમભાવ" નો સંપૂર્ણ અનુભવ કરે છે કોઈ પણ શાસ્ત્ર કે શ્લોકોના આધાર વગર
7 આત્માનુભવના આનંદથી ધ્યાન-તપ વગેરે સમાધિનિષ્ઠ બને છે
8 આત્મામાં એટલી બધી પ્રશાન્ત્વહિતા પ્રસરે છે કે એના સાનિધ્યમાં વાઘ,સર્પ વગેરે ના વેરભાવ પણ નાશ પામે છે
9 એમની અમૃતમય ધર્મદેશના હમેશા કલ્યાણકારી ને પરોપકારી જ હોય છે.
જીનવાણી વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ
No comments:
Post a Comment