Blog 02/21/2012
શુભયોગ,
શુભક્રિયા અને શુભફ્લ
- શુભયોગ
·
માનવભવ,
જૈનશાસનની પ્રાપ્તિ, સદગુરૂનો યોગ, તેમની વાણીરૂપી અમ્રુતનું પાન, ધર્મક્રિયામાં
ઓતપ્રોત, સતત જ્ઞાનક્રિયાનું સેવન આ બાહ્ય શુભ નિમિત્તો છે.
·
મન, વચન અને
કાયાના યોગો શુભ થવા અને સદગુરૂનો મિલાપ થવા તે શુભ યોગ.
- શુભક્રિયા
·
શાસ્ત્રજ્ઞાન
અનુસાર ધર્મ કાર્યોમાં પ્રવ્રુતિ કરવી તે શુભક્રિયા.
- શુભફ્લ
·
શુભયોગ અને
શુભક્રિયાથી કર્મોની નિર્જરા થવી તે શુભફ્લ.
·
શુભયોગ,
શુભક્રિયા અને શુભફ્લ આ ત્રણ અભ્યંતર શુભ નિમિત્તો છે.
·
આ શુભ નિમિત્તો
આત્માની ક્લયાણકારી શુદ્ધિનું પ્રધાન કારણ બને છે.
·
મોહનીય કર્મના
ક્ષયોપક્ષમના કારણે આ ત્રણ શુભ નિમિત્તો અવંચક બને છે. અવંચકતાના ઉદયથી મળતા આ
નિમિત્તો શુભ/પ્રશસ્ત કહેવાય છે.
·
આ નિમિત્તો
મળવાથી મુક્તિનો માર્ગ સરળ બને છે.
- ઉપાદાન અને નિમિત્ત
મુક્તિની સિદ્ધિ
માટે ઉપાદાન અને નિમિત્ત બંન્ને જરુરી છે. રત્નત્રયીની પ્રાપ્તિ માટે ઉપાદાન અને
બાહ્ય તેમજ અભ્યંતર નિમિત્ત કારણો પણ અવશ્ય જોઇએ જ. ઉપાદાનમાં કાર્ય કરવાની અને
નિમિત્તમાં કાર્ય પ્રગટ કરવાની શક્તિ છે. ઉપાદાન, નિમિત્ત અને તે બંન્નેનું
યથાયોગ્ય યુંજન એ ત્રણોની વિદ્યમાનતા એ જ કાર્ય સાધક છે.