Thursday, August 23, 2012
. Gatha 41 page 175 2nd para thru page 176 2nd para
જેમ મિત્રાદ્રષ્ટિમાં યમ નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે તેમ તારાદ્રષ્ટિમાં નિયમ નામનું યોગનું બીજુ અંગ પ્રાપ્ત થાય છે. યમ એટલે યાવજ્જીવ સુધીનું વ્રત જે મુની માટે અહિંસા આદિ મૂળગુણ રૂપ પાંચ મહાવ્રત અને શ્રાવકને દેશથી તથા તેના ચાર ભેદ- ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ થઇ કુલ ૨૦ પ્રકારે છે. જેમ જેમ યોગમાર્ગનો રંગ લાગે છે, અધ્યાત્મદ્રષ્ટિનો વિકાસ થાય છે, યમપાલનનો રાગ વધે છે તેમ તેમ તારાદ્રષ્ટિમાં આ યમ તો વધારે મજબૂત થાયજ છે પણ તેની પૃષ્ટિ, વૃદ્ધિ અને રક્ષા માટે યથાશક્તિ અને યથાયોગ્યાકાળે નાના-મોટા નિયમ લે છે. મનને નિયમન કરે (કંટ્રોલ) તેને નિયમ કહેવાય જે પરિમિત કાળ માટે હોય. જૈનદર્શનમાં સાધુમુની માટે પિંડવિશુદ્ધિ અને શ્રાવકમાટે દિગપરીમાણ આદિ ઉત્તરગુણ રૂપ નિયમ હોય છે. પાતંજલ યોગદર્શનમાં પાંચ નિયમો કહ્યા છે ૧) શૌચ ૨) સંતોષ ૩) તપ ૪) સ્વાધ્યાય ૫) ઈશ્વરપ્રણિધાન અને તેના ઈચ્છાદિ ચાર ભેદ એમ કુળ ૨૦ નિયમ છે.
શૌચ - બે પ્રકારે- દ્રવ્ય અને ભાવ શૌચ.
૧) દ્રવ્ય શૌચ -જેમ કાયા, વસ્ત્ર, ઘર, ને પાત્રને જળ, સાબુ આદિ થી સાફ કરીએ તે દ્રવ્ય શૌચ. તે પરિમિત કાળમાટેજ શુદ્ધ રહે કારણ કે તે ફરીથી મલીન થવાનાજ, એ તેનો સ્વભાવ જ છે. ગમે એટલીવાર કાયાને સાફ કરીએ તોય મળ, મૂત્ર, લોહી આદિ અશુચિના પુદગલો અંદર ભરેલા હોવાથી ક્યારેય મૂળથી સ્વચ્છ થાશે નહિ જેમ કે ઉકરડો કદાપી સાફ થાય નહિ, તે શુદ્ધતા માટે અયોગ્ય છે. એટલેજ જૈન સાધુઓને દ્રવ્યશૌચ ઇષ્ટ નથી. તેમાં અપકાયની હિંસા છે તેથી શરીર શોભામાટે સ્નાન કરતા નથી. વસ્ત્ર ધોવણ પણ અલ્પમાત્રાએ પ્રયોજન પુરતુ જ કરે, તે પણ અચીત્ત જળથી, જેથી પરસેવાથી જીવોની ઉત્પત્તિ ન થાય.
૨) ભાવ શૌચ - એટલે આત્માને શુદ્ધ કરવો તે ભાવ શૌચ - આત્મા પોતાના જ્ઞાનગુણ આદિ સ્વભાવદશા ની શુદ્ધતા છોડીને જ્યારે પરદ્રવ્યો પર મોહિત થઇ પુદગલાનંદી થાય તો તે અશુદ્ધ, અપવિત્ર અને અશૌચ થાય, પુદગલની પ્રાપ્તિ અને ભોગવવામાં પણ હિંસા થાય. તેથી આત્માને પરદ્રવ્યોની પરિણતિથી દુર રાખવો, કરવો, છોડાવવો તે ભાવ શૌચ છે.
જીનઆજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ !
Saturday, August 18, 2012
૭/૧૮/૧૨ બુધવાર. ગાથા ૪૨ તારા દૃષ્ટિના બીજા ગુણો
Thursday, August 16, 2012
૬/૨૭/૧૨ બુધવાર ગાથા ૪૧ તારા દૃષ્ટિ
Wednesday, May 9, 2012
ગાથા ૨૪, પાના # ૧૧૪,૧૧૫. સ્વાધ્યાય નોવ. ૧, ૨૦૧૧.
Thursday, May 3, 2012
9/14/11 whole gatha20 page #.102,103,104
જવાબમા એક દાખલો આપે છે કે એક પુરુષ પોતાના ગામથી ઘણુ દૂર કાન્યકુબ્જ નગર તરફ પ્રયાણ કરે છે. વચ્ચે ૪-૫ સ્થળે રાત્રે વિશ્રામ માટે સ્થિર વસવાટ કરે,શયનક્રિયા કરે, અલ્પ નિદ્રા લે, સવારે ઉઠી શારીરિક પરિશ્રમ દૂર થવાથી વેગપૂર્વક પ્રસન્નાથી નવું પ્રયાણ ફરી શરુ કરી કાન્યકુબ્જ અવશ્ય પહોચે. આ વિશ્રામો પ્રયાણમા ભંગ કરતા નથી પણ ગતિના વેગ વધારે છે.
તેમજ સ્થિરાદિદ્રષ્ટિઓ આવ્યા બાદ સમ્યગ્દર્શન વાળુ ચારિત્રગુણ પામેલા આત્માર્થી મહાયોગીનું દિન-પ્રતિદિન મુક્તિ તરફનું પ્રયાણ ચાલુજ છે, માત્ર પુર્વબદ્ધ કર્મોનો ઉદય ભોગવવાનો બાકી રહ્યો હોય તે ભોગવીને ખલાસ કરવા માટેજ વચ્ચે દેવ -મનુષ્યના ભવો અધિક સંસારી,દૈવિક સુખ હોવા છતા અલિપ્ત રાખે તેવા કરે. જેથી થાક ઉતારવાની જેમ ઔદાયિક ભોગકાલ પૂર્ણ થતાજ પુન: ચારિત્રમાર્ગ સ્વીકારી વેગપૂર્વક મુક્તિનગર તરફનું પ્રયાણ અભગ્ન, અવિરતપણે, અખંડિત ચાલુજ રહે છે, ભાંગતું નથી. અભંજક છે.(યશોવિજયજી મ। યોગ્દ્રષ્ટિની સજ્જાયમાં સમજાવે છે.)
અંતે પૂર્ણપણે વિકાસ પામેલા આત્માવસ્થાના અનુભવરૂપ મુક્તિનગર પહોચે જ છે. એટલે દેવભવની પ્રાપ્તિથી થયેલો ચારિત્ર નો વિઘાત એ મુક્તિપ્રયાણનો ભંગ ન થવાના કારણે રસ્તો કાપતા રાત્રી આવે ત્યાં વિશ્રામ લેવા તુલ્ય (નિદ્રાતુલ્ય) છે. તેથી આ ચાર દ્રષ્ટિ અપ્રતિપાતિ અને નીરપાય પણ કહેવાય છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ.
Wednesday, May 2, 2012
3/14/12 Wed ગાથા ૩૫ પાના નં ૧૫૯ છેલ્લો ફકરો - નં ૧૬૦ અંત સુધી
જગધણી પરમાત્માનો મહિમા આપણા હૃદયના નયનમા ઉતારી દઇ તેમને પ્રીતિ ભક્તિની દ્રષ્ટિ થી જોતા કરીને આપણા આત્માર્થ નો ઉત્સાહ વધારે. આવા સદગુરૂનો મહિમા પણ ભગવાનની જેમ ઘણો મોટો મેરુ પર્વત સમાન છે જે આપણને તત્વનો સાચો અર્થ સમજાવી એની પણ પ્રીતિ કરાવીને જિનવાણીનું પાણી પીવડાવી બધા ભ્રમો ભાંગી કાઢે.
પરંતુ આવા સદગુરુનો યોગ અને એમની સદગુરુ તરીકેની ઓળખાણ ક્યારે થાય?
જ્યારે મોહનીય ઘાતીકર્મનો ક્ષયોપશમ થાય, આત્માની મલીનતા મંદ પડે, ભાવમલ અલ્પ થાય ત્યારે ભાવપુણ્યના નિમિત્તે આવા સદગુરુનો સમાગમ થાય.
જેમ રત્ન ઉપરનો મેલ(પર-દ્રવ્ય ) દૂર કરવાથી સ્વયં એનો ચળકાટ આપોઆપ ઝળહળી ઉઠે છે(કોઈ બીજા પ્રયત્ન વગર) તેમ જ આત્મા ઉપરનો અનાદીકાળનો અજ્ઞાનજન્ય ને મોહજન્ય(રાગાદિ કશાય ) મેલ જે પરાયો છે તે દૂર થતાજ આત્માની પરમાર્થ સાધવાની યોગ્યતા રૂપ કાંતિ (સ્વ-દ્રવ્ય) આપોઆપ ઝળહળી ઉઠે. દ્રષ્ટિનો પ્રકાશ વધારે ને વધારે ખીલી ઉઠે. આત્મા નિર્મળ બને અને પરમાર્થ સાધવાની યોગ્યતા, પાત્રતા પ્રગટે અને લોહચુંબક થી લોઢુ ખેચાય તેમ ભાવપુણ્ય વધવાથી ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેચાતા આવે ત્યાર સદગુરૂનો શુભ યોગ થાય. તેમને સતત વારંવાર સત્પ્રણામાદિ કરવાથી તેઓની નિકટ થવાથી ઓળખાણ થાય છે. પછી બહુમાન,પૂજ્યભાવ વધતા સદગુરુપણ।ની બુદ્ધિ થતા અવંચકત્રયની પ્રાપ્તિ થાય છે જેના કારણે શુભ નિમિત્તોનો સંયોગ થાય છે. એમ પરસ્પર કારણ - કાર્યભાવ જાણવો.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયુ હોય તો વિભાના મિચ્છામીદુક્કડમ.
Tuesday, May 1, 2012
૪/૧૭/૧૨ મંગળવાર-ગાથા ૪૦- પાના નં- ૧૬૯ ૩જા ફકરા - પાના નં ૧૭૦
મિત્રાદ્રષ્ટિના ગુણો ઉપર અતિશય વિચાર કરીને આત્મનિરીક્ષણ કરવુ બહુ જરૂરી છે કે આપણ।મા આવા ગુણો પ્રગટ્યા છે કે નહી, ના હોય તો તે પ્રગટાવવા છે કે નહી. ગુણસ્થાનક તો ગુણો થી આવે છે, માત્ર બાહ્યવ્યવહાર ની ક્રિયાથી સમ્યગદ્રષ્ટિ, દેશવિરતીધર સંયમી શ્રાવક - શ્રાવિકા પોતાને માની લઈને સંતોષ પામે તે અહંકાર અને અજ્ઞાન ની ભ્રાંતિમા રહે છે। બાહ્યક્રિયારૂપી વ્યવહાર તે ગુણપ્રાપ્તિમા નિમિત્ત જરૂર છે પણ તેને નિશ્ચયની સિદ્ધિમાં જોડે (યુંજે) તો જ તે નિમિત્ત ખરેખર નિમિત્ત બને અને કાર્ય પૂરું કરે.
જેમ કુહાડો છેદનનું નિમિત્ત હોવા છતા જો જીવ કુહાડાને છેદનમા જોડે (યુંજે,વાપરે) તોજ છેદનનું કાર્ય થાય અને કુહાડો ખરેખર નિમિત્ત બને.
વ્યવહાર એ નિશ્ચયની પ્રાપ્તિનું કારણ છે અને નિશ્ચય એ વ્યવહારની શુદ્ધિ નું કારણ છે। બન્ને પરસ્પર સાપેક્ષ છે। એક વિના બીજો નિરર્થક છે, જેમ "નફો અને વકરો." આનંદઘનજી મ. સ્તવનમાં કહે છે કે (ક્રિયા) વ્યવહાર જો ભગવાનના વચન,ગુણો (નિશ્ચય) સાપેક્ષ હોય તેજ સાચો, નિરપેક્ષ હોય તે ખોટો સંસારફળ આપનાર હોય એટલે બન્ને નય (નિશ્ચય અને વ્યવહાર)સાંભળી ને સાચો આદરવાનો ઉત્સાહ વધારવો.
આવા મિત્રાદ્રષ્ટિના ગુણો આવે તોજ પ્રથમ ગુણસ્થાનક ગણાય અને આત્મવિકાસ કરીને ઉપર ચઢાય.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો વિભા ના મિચ્છામી દુક્કડમ.
SWADHYAY - GATHA 36, 37 - PAGE 162 to 164
ગાથા ૩૬, પાનું ૧૬૨ ૩.૨૬.૨૦૧૨
આંખમાં દોષને હિસાબે - મંદ્લોચનવાળો - બરાબર જોય ન શકતો જીવ તેની સામેના પદાર્થને તે પદાર્થ જેમ છે તેમ જોય શકતો નથી તેમ જે જીવનો ભાવમલ ઓછો ન થયો હોય તે સત્પુરુષને સાચા સ્વરૂપે ઓળખી શકતો નથી અને તેથી સત્પુરુષ તરીકે પરિચય કરી શકતો નથી અને તેમના પ્રત્યે પ્રીતિ-વિશ્વાસ આવતા નથી . અને એટલે ધર્મ ને સમજી શકતો નથી અને આચરણમાં મૂકી શકતો નથી.
ગાથા ૩૭, પાના # ૧૬૨,૧૬૩,૧૬૪. ૩.૨૭.૨૦૧૨
- અન્વય - હકારાત્મક ભાવે સમજાવવું
- વ્યતિરેક - નકારાત્મક ભાવે સમજાવવું
- ધૃતિ - ધીરજ, કામમાં ધીરજાતા.
- શ્રદ્ધા - ધર્મ કાર્ય અવશ્ય મુક્તિ ફળ આપવાનું છે તે શ્રદ્ધા
- સુખા - ધર્મ કાર્યમાં ધીરજ અને શ્રદ્ધા પૂર્વક પ્રવૃત્તિ હોવાથી જીવને પ્રવૃતિમાં આનંદ છે તે સુખા.
- વિવિદિષા - જીવની પ્રવૃત્તિ ધૃતિ, શ્રદ્ધા અને સુખારૂપ હોવાથી તે ધર્મતત્વને ઊંડું જાણવાની ઈચ્છા રાખે છે તે વિવિદિષા .
- વિજ્ઞપ્તિ - ધૃતિ,શ્રદ્ધા, સુખા અને વિવિદિષા રૂપ પ્રવૃતિથી જીવ ધર્મ તત્વનું જ્ઞાન આપે તેવા સદગુરુની શોધ કરે છે અને સદગુરૂ મળતા શાસ્ત્ર સંબંધી વિજ્ઞપ્તિ (જ્ઞાન) પ્રાપ્ત કરે છે.
SWADHYAY - GATHA 23 -PAGES 109, 110- OCT.12,2011
- જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભ ભાવ
- સ્તુતિ બોલવા દ્વારા તેઓને કરાતું શીર્ષ નમન
- પાંચે અંગો નમાવવા પૂર્વક કરતા પ્રણામ.
Monday, April 30, 2012
02/21/2012 (Tuesday)
03/12/2012 (Monday) gatha 34
SWADHYAY - GATHA 22 ON 10.4.2011 - PAGE #s 108, 109.
Sunday, April 29, 2012
૪-૧૬-૨૦૧૨ સોમવાર ગાથા ૪૦ પાનું ૧૬૮ થી પાનું ૧૬૯ બીજો ફકરો
Thursday, April 26, 2012
swadhyay 8.23.2011 page #s 96 to 99
૩-૧૩-૧૨ મંગળવાર પાનું ૧૫૯ ગાથા ૩૫ થી પાનાના અંત સુધી
સદગુરૂ: જેમાં સાધુપણાના ગુણો હોય છે, પુરુષાર્થ (પરમાર્થ) થી જે સાધુ છે. ( સંત) સાંસારિક પ્રપંચ રહિત હોય છે. ગીતાર્થ (બહુ શાસ્ત્રોને જાણનાર) છે દ્રવ્ય, ક્ષેત્ર,કાળ,ભાવ વગેરે ના જાણકાર છે, સંવેગ-નિર્વેદ ના પરિણામ વાળા હોય છે.
આવા સદગુરૂ મળે ત્યારે તેને પ્રણામ વગેરે કરવાથી તેની નિકટતા વધે છે અને તેનાથી પરિચય (સંબંધ) વધે છે અને સદગુરૂપણા ની બુધ્ધી થાય છે. તેના પ્રત્યે બહુમાન અને પૂજ્ય ભાવ વધે છે. સદગુરૂ આત્મ કલ્યાણ ની ક્રિયાઓ માં પ્રોત્સાહન આપે છે.
આ રીતે થયેલો સદગુરૂનો સંયોગ યોગાવંચક બને છે ત્યારબાદ તેઓને સદગુરૂપણા ના ભાવ થી કરાતી વંદન વગેરે ક્રિયાઓ ક્રીયાવંચક અને ફલાવંચક બને છે.
Wednesday, April 25, 2012
ચિત્તના ૮ દોષો ( ૪ - ૮ ) . ઓગસ્ટ ૨, ૨૦૧૧ . પાનું ૯૧
૪ ઉત્થાન - મોક્ષ સાધકનું યોગમાર્ગની ક્રિયામાંથી મન ઉઠી જવું - જેને કારણે ક્રીયામાર્ગ તજી દેવાનો ભાવ થાય પણ લોક્લજ્જા કારણે ક્રિયા કદાચ ન છોડે તો પણ તેમાં ચિત્ત ન રહે.
૫. ભ્રાંતિ - ભ્રમ થવો , ભમવું , ભટકવું. યોગમાર્ગની ધર્મક્રિયા ને છોડી ચિત્તનું ભમવું, ભટકવું અથવા અતત્વને તત્વ માનવું અથવા અમુક ક્રિયા થયી કે નં થઈ તેનો ભ્રમ થવો.
૬. અન્યમુદ.- યોગમાર્ગની ક્રિયા કરતા અન્ય સ્થાને હર્ષ કરવો. તેમાં પ્રવૃત્તિ કરવી જેનાથી ઇષ્ટ કાર્યમાં અવરોધ થાય છે.
૭. રૂગ - રોગ - રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન) આ ત્રણ મહારોગ છે . ભાવરોગ છે - સંસાર વર્ધક ક્રિયાનો રાગ, મોક્ષ સાધક ક્રિયાનો દ્વેષ, યોગમાર્ગની સાચી ક્રિયાની અણસમજ - આ સર્વ ભાવ સાધનામાં વિઘ્ન રૂપ છે. આનાથી શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ બની જાય છે અને યોગ્ય ફળ આપવા અસમર્થ બને છે.
૮. આસંગ - પર્દ્રવ્ય , પરભાવ પ્રત્યે આસક્તિ થવાથી મુક્તીમાંર્ગની સાધના નબળી પડે અથવા મુક્તીમાંર્ગની સાધનાના અસંખ્ય ઉપાયો પૈકી કોઈ એક ઉપાયમાં આસક્તિ થવી કે જેથી અન્ય ઉપાયો પ્રત્યે ઉપેક્ષા ભાવ આવતા ગુણસ્થાનક નો વિકાસ રૂંધાય છે.
સ્વાધ્યાય ૮.૩.૨૦૧૧ પાનું ૯૨ - પેરા બીજો
ચિત્તના આઠ દોષો - ખેદ,ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ,અન્યમુદ, રૂગ, આસંગ - પરસ્પર સંકળાયેલા છે. એક આવવાથી બધા આવે છે. એક જવાથી ક્રમશઃ સર્વે જાય છે.
યોગ માર્ગમાં આત્માનો વિકાસ કરાવે એવી ધર્મક્રિયામાં જો ખેદ ઉપજે (થાક લાગે) તો ઉદ્વેગ (કંટાળો) આવે . આનાથી ચિત્ત બીજે જાય જ (ક્ષેપ) એટલે ચાલુંક્રીયામાં ચિત્ત સ્થિર ન રહે (એટલે ઉત્થાન) અને ચિત્ત ધર્મક્રિયામાં ન રહેતા તે ચોતરફ ભટકયા જ કરે (ભ્રાંતિ), ચિત્ત નું બહાર ભમવાથી મોહ ઉદયથી પરભાવ દશામાં પ્રીતિ વધે અને તેમાંજ ચિત્ત આનંદ પામે (અન્યમુદ) અને આ પરભાવ આનંદ એ જ યોગમાર્ગમાં પીડારૂપ બને (રૂગ) અને આ રાગ, દ્વેષ, અજ્ઞાનની અનાદિ વાસનાના જોરે પુદગલ્સુખમાં જ આસક્તિ વધતી જાય ( તે આસંગ). આ રીતે દોષો ક્રમશઃ આવે છે અને જો પ્રથમ દોષ-ખેદ-નો પરિહાર કરાય તો તેના બળે ક્રમશઃ બધા દોષો જાય છે.
ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાય હોય તો મિચ્છામી દુક્કડમ .
Tuesday 2-27-12 pg.no 154 - gatha 33 - 2nd para onwards.
આનંદઘનજી અને દેવેન્દ્રસુરી જેવા પૂર્વાચાર્યોએ આ પદો થી એ સમજાવ્યું છે કે કારણ વગર કર્તા કાર્યની સિદ્ધિ કરી શકતો નથી. એમાં કોઈ સવાલ જ નથી. કોઈ પણ કાર્ય ની સિદ્ધિમા પાંચ સમવાય હોવા જરૂરી છે. તેમાં પણ પુરુષાર્થ જ આપણા હાથમાં છે.અનાદિકાળથી પુરુષાર્થ સાથે નિયતી આદિ ચાર કારણો હોવાથી જ કાર્ય થાય છે. નિયતી કર્મબદ્ધ પર્યાય પ્રમાણે જ બધું થશે પુરુષાર્થની જરૂર નથી તે એકાંતવાદ હોવાથી ઉત્સુત્રપ્રરૂપણા કહેવાય. તેવીજ રીતે ઉપાદાન હોય પણ યોગ્ય નિમિત્ત રૂપ કારણ સાથે ન હોવાથી પણ કાર્ય સફળ થતું નથી. બન્ને ઉપાદાન અને નિમિત્ત એકબીજાને આધીન છે. પ્રભુની સમતામય અમૃતવાણીનું અવલંબન એ જગમાં ઉત્તમ નિમિત્ત છે. તેનું અવલંબન લઇ આત્માનું ઉપાદાન જીનેશ્વર પ્રભુની જેમ સિદ્ધ બની શકશે.
આમ નિશ્ચય અને વ્યવહાર નય બન્નેની અપેક્ષા રાખવી અને ઉપાદાન અને નિમિત્ત બંનેની પ્રધાનતા રાખવી. કોઈ પણ એક ની પ્રદ્ધાનતા કરી એકાંતવાદી ન થવું.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ
Monday, April 23, 2012
૨/૨૨/૧૨ પાનું ૧૫૩. છેલ્લા ફકરાથી પાનું ૧૫૪ પહેલો ફકરો
દાખલા તરીકે: મુંબઈ જવા ઉપાડેલી ગાડી મુંબઈ પહોંચશે જ અને રસ્તામાં ક્રમસર નડિયાદ, વડોદરા,ભરૂચ, સુરત,વલસાડ વગેરે ગામો પસાર કરીને જ મુંબઈ આવશે. આ બધું નિયત (નક્કી) ને ક્રમસર હોવા છતા પણ ડ્રાઈવર ચલાવવા (પુરુષાર્થ) વડે જ ,લાઈન મળવા વડે જ, પાટાની સાનુકુળતા રૂપ નિમિત્ત વડે જ પહોંચાડવાની છે. આ બધા જ કારણો પણ જોઈએ જ .
મરીચી નો આત્મા મહાવીરસ્વામીપણાના પર્યાય ને અવશ્ય પામવાનો હતો જ પરંતું તે પર્યાયના મેળવવા રૂપ પુરુષાર્થ વડે જ . પૂર્વે ત્રીજા ભવમાં માસક્ષમણના પારણે માસક્ષમણ કરવા રૂપ પુરુષાર્થ, ચરમ (છેલ્લા ) ભાવમાં સાડા બાર વર્ષ ખુબ જ ઉપસર્ગ સહન કરવા રૂપ પુરુષાર્થ, ધ્યાન,તપ, ચરિત્ર સેવવા રૂપ પુરુષાર્થ દ્વારા જ મહાવીરપણા ના પર્યાયને પામવાના હતા.
મહાવીર ભગવાન જન્મ સમયેજ કેવળ જ્ઞાનપણા ને પામવાના હતા તે નક્કી જ હતું (અને તેમને ત્રણ જ્ઞાન હોવાથી જાણતા પણ હતા) છતા પણ દીક્ષા લેવાનો અને તપ ધ્યાન ચારિત્ર સેવવાનો પુરુષાર્થ કાર્યો!
માટે નિયતી પણ પુરુષાર્થ વગેરે કારણો ની અપેક્ષા ના કારણે જ નક્કી (નિયત) છે.
પાંચ સમાવાય ના પાંચ કારણો માં આપણે નિયતી ને પણ માનવાની જ છે પરંતું પુરુષાર્થ ને સાથે રાખીને.
એવી જ રીતે ઉપાદાન પણ નિમિત્ત ની હાજરીમાંજ કાર્ય કરે છે. એકલું ઉપાદાન કર્યા સાધક નથી.
એકલો નીક્ષ્ચય ઉપકારક નથી પરંતું વ્યવહાર સાપેક્ષ નીક્ષ્ચય જ ઉપકારક છે. અને નીક્ષ્ચય સાપેક્ષ વ્યવહાર ઉપકારક છે.
સ્યાદવાદી આત્માઓ ને સાપેક્ષ પ્રમાણે વિચારેલા નયો જ (આત્મ કલ્યાણ માટે) ઉપકારી છે.
અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ
૧/૩૧/૧૨મંગળવાર પાનું ૧૪૭ ફકરા બીજાથી પાનું ૧૪૮ ફકરો બીજો.
દુર્બળ,દુખી,ગરીબ વગેરે દયાને પાત્ર જીવો પ્રત્યે કોઈ પણ જાતના ભેદભાવ વગર અવશ્ય અનુકંપા કરવી. અને ગુણવાન પાત્ર જીવો ઉપર ભક્તિ ભાવ થી સેવા કરવી અથવા તો જયા જયા જે જીવો ઉપકારી હોય ત્યાં ત્યાં તે પ્રમાણે ભાવ થી વર્તવું અને જ્યાં જ્યાં અપકારી જીવો હોય ત્યાં ત્યાં તેનો ત્યાગ કરવો તેને ઔચિત્ય (ઉચિત) આચરણ કહેવાય છે.
આ રીતે ઉપકારી ભાવ ને મુખ્ય કરીને વર્તવું તે જ અતિશય ભાવમલક્ષય નું ત્રીજું લક્ષણ સમજવું
આવા આચરણ થી જીવમાં અપકાર કરનારી(અસત્ત) ખોટી પ્રવૃત્તિ નો નાશ થતો જાય છે અને સત્ત પ્રવૃત્તિઓ નો વધારો થાય છે.
અજ્ઞાનતા ન કારણે જીન આજ્ઞા થી વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ.
Thursday, April 19, 2012
૧/૪/૧૨ બુધવાર ગાથા ૨૯ પાના ૧૪૦ થી પાના ૧૪૧ ફકરો પહેલો
10/17/11 Gatha 23 pg. no.110 પ્રથમ યોગબીજ -કુશલચિત્ત
2/01/12 gatha 32-33 Wed page no.148 3rd para - 149 second last para.
૧) અનુકંપા-દયાથી ભરેલું કોમળ હૃદય જે દુખી જીવોના દુઃખ દૂર કરે.
૨)ગુણી પુરુષોને જોઈને અદ્વેષ-આનંદિત અને પ્રમોદિત થાય, દ્વેષ ન કરે.
૩) સર્વત્ર ઉચિત આચરણ.
આ ચિહ્નોથી આપણે અનુમાન કરી શકિયે કે આપણે ચરમાવર્તમાં છીએ કે નહિ(સંપૂર્ણપણે તો કેવળી જ જાણે) અને ના હોય તો લાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
કર્મબદ્ધપર્યાયવાદી (નિયતીવાદી) એમ માને છે કે, જે કાલે ચરમાવર્ત થવાનું હશે ત્યારે આપોઆપ થશે કારણ બધી પર્યાય ક્રમશ: ગોઠવાયેલી જ છે પણ તે ઉચિત નથી, એકાંતવાદી હોવાથી મિથ્યાદ્રષ્ટિ છે કારણકે આમા પુરુષાર્થની હીનતા થાય છે। છદ્મસ્થને કર્મ ખપાવવા માટે પાંચ સમવાયમા પુરુષાર્થ જ પ્રધાન છે,નિયતીઆદિ પણ કામ કરે પણ તે ગૌણ છે (કેવલીનેજ નિયતી પ્રધાન છે - એમના ઘાતીકર્મ ખપી ગયા છે)
ગાથા ૩૩-ઉપરના ત્રણ લક્ષણોવાળા મહાત્માને પોતાના અવંચક્પણ।ના ઉદયથી યોગ્યકાળે અવશ્ય શુભ નિમિત્તોનો સંયોગ થાય છે.
આવો જીવ કેવો છે? ભદ્રમુર્તી = જેની ભદ્ર નિર્દોષ,પ્રસન્ન અને કલ્યાણકારી મુખમુદ્રાવાળી મૂર્તિ જોઈનેજ વહાલ-પ્રેમ ઉપજે અને એનું હૈયું નિખાલસ છે. તેમની કંઈક આત્મદ્રષ્ટિ ખુલતા સંસારિકસુખ માટે કરાતો પુરુષાર્થ હવે આત્મહિત માટે કરાય છે. આવા સદવીર્ય (પુરુષાર્થ)ના કારણે અવંચક પુણ્યોદયથી શુભ અને પ્રશસ્ત એવા નિમિત્તસંયોગ થાય છે.- કેવા?
આવા સદયોગાદી - શુભયોગ, શુભક્રિયા, અને શુભફળ વાળા નિમિત્તોના યોગ થી મુક્તિ સાધીને નજીકમાંજ કલ્યાણ થવાનું છે માટે આવા ભદ્રમુર્તીવાળા આત્માને મહાન આત્મા કે મહાત્મા કહેલ છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ.
૧૨/૧૪/૧૧બુધવાર પાનું ૧૩૯ #૭ થી પાનું ૧૪૦ ગાથા ૨૮ ન અંત સુધી.
૧૨/૫/11 પાનું ૧૩૩ ફકરા ૩ થી પાનું ૧૩૪ ગાથા ના અંત સુધી
Wednesday, April 18, 2012
૧૧/૨૮/૧૧ સોમવાર પાનું ૧૨૯ ફકરો બીજો થી પાનું ૧૩૦ ફકરા બીજાના અંત સુધી
૧૧/૧૪/૧૧ સોમવાર પાનું ૧૧૯ ફકરો બીજો લાઈન ૬ થી પાનાના અંત સુધી
Tuesday, April 17, 2012
૧/૧૦/૧૨ - ગાથા ૨૯ પાનું ૧૪૧ થી ૧૪૩ ગાથા ના અંત સુધી.
મિત્રાદ્રષ્ટિમાં આવેલા આત્માને નીચે મુજબ યોગબીજ આવે છે.
૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ
૨) સદગુરૂ પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ
૩)દેવ અને સદગુરુની પૂજ્યભાવપૂર્વક સેવા-વૈયાવચ્ચ, ભક્તિ, ઉપાસના
૪) સહજપણે થતો જ્ઞાનપૂર્વક ભવનો ઉદ્વેગ
૫) દ્રવ્યથી અભિગ્રહો કરવા, વ્રત-નિયમ કરવા ,દેશવિરતી-સર્વવિરતી લેવી
૬)સુન્દર સિદ્ધાંતો લખવા-લખાવવા , વાંચવા- વંચાવવા , પ્રકાશિત કરવા-કરાવવા
આ એકેક યોગબીજ પરમોત્તમ અમૃત છે. દેવ,ગુરૂ અને શાસ્ત્રની ભક્તિ એ યોગપ્રાપ્તિનું અવન્ધ્ય કારણ છે માટે યોગબીજ જ છે.
દેવ આપણા આત્માના સાધ્ય એવા શુદ્ધ સ્વરૂપના પ્રતિબિંબ છે માટે ઉપકારી છે.
ગુરૂ પોતે સુંદર જ્ઞાન અને આચરણ વડે પરમાત્માના વચનોનું અમૃતપાન કરાવે માટે ઉપકારી છે.
શાસ્ત્ર પૂર્ણપણે મુક્તીમાંર્ગની દિશા સૂચવે છે માટે ઉપકારી છે.
આ ત્રણેય ભક્તિપદ જે યોગબીજ છે તે કરવાથી દુર્લભ મનુષ્યભવ સફળ થાય છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભા ના મિચ્છામિ દુક્કડમ
૧૨/૧૩/૧૧ મંગળવાર ગાથા ૨૮ પાના ૧૩૭ છેલ્લા ફકરા થી પાના ૧૩૯ - #૬ સુધી
૧) લેખના- જેમ દેવ, ગુરૂ ઉપકારી છે તેમ જ પરમશ્રુતજ્ઞાન રૂપ ધર્મશાસ્ત્રો પણ એટલાજ સ્વ -પર ને ઉપકારી છે. પંચમકાળમા સ્મૃતિભ્રંશ થતા જોઈને પૂજ્યશ્રી દેવાધીગણીક્ષમાશ્રમણે જૈનાગમોને પુસ્તાકારૂઢ કર્યા, પૂર્વાચાર્યોએ ઘણો પરિશ્રમ કરીને આ ગ્રંથો લખ્યા અને શ્રાવકો પાસે લક્ષ્મીનો સદુપયોગ કરાવી લખાવ્યા ત્યારે આ વિષમકાળે શ્રી ચતુર્વિધ સંઘને પવિત્ર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું કારણ સંભવે છે. એટલે સત્શાસ્ત્રો લખાવવા, છપાવવા, ઉંચી ક્વોલિટીના કાગળો,પુઠા, બાઈન્ડીંગથી પ્રકાશિત કરવા જેથી ગ્રંથ દીર્ઘાયુષી, આકર્ષિત બને અને જોતાજ વાચવાનું મન થાય , બહુમાન થાય આવી શાસનપ્રભાવના કરવી એ યોગબીજ છે.
મીત્રાદ્રષ્ટિમા આવેલા જીવને આ સંસારની કટુતા જાણી મુક્તિની તીવ્ર અભિલાષા જાગી છે. મુક્તિમાર્ગ જાણવા માટે શાસ્ત્રોજ ઉપકારી છે, ભવ-વ્યાધીને દૂર કરવામા ઔષધ છે, સર્વવ્યાપી ચક્ષુ સમાન છે , સર્વાપ્રયોજનનું સાધન છે, પરોપકાર કરવા કરાવવા થી પુણ્યબંધનું કારણ છે એટલે આવો જીવ યોગ્ય પાત્રો ને ઉપરની બધી પ્રભાવના વધુ ને વધુ કરાવવાની ઈચ્છા કરી છઠ્ઠુ યોગબીજ પ્રાપ્ત કરે છે.
૨)પૂજના - શાસ્ત્રપ્રેમી પુણ્યાત્મા મોટા બાજોઠ કે સાપડા ઉપર સુન્દર-આકર્ષક વસ્ત્ર મૂકી એના ઉપર પુસ્તક રાખી એની પુષ્પ-વાસક્ષેપ આદિથી પૂજા કરી શ્રુતજ્ઞાનનું બહુમાન કરે છે.
૩)દાન - આત્માર્થી બીજાને વધારે શ્રુતજ્ઞાન મળે એના માટે નિસ્પૃહ અને નિસ્વાર્થ ભાવે ભણેલું જ્ઞાન તેઓને ભણાવે, ભણવા માટે પુસ્તક આપે અને પ્રભાવના કરે.
૪)શ્રવણ - પરમ વૈરાગી- સમ્યગ્જ્ઞાની મુમુક્ષુ વડે કરાતું ધર્મશાસ્ત્રોનું પ્રવચન અને ઉત્તમ નિર્ગ્રંથ મુની ના વ્યાખ્યાન સાંભળે.
૫) વાચના - શરીર,વસ્ત્ર અને મનશુદ્ધી સાચવીને અત્યંત બહુમાનપૂર્વક, વિનય -વિવેકપૂર્વક ઉત્તમ સત્શાસ્ત્રોનું સતત વાંચન કરી પોતાની સ્મરણ, ચિંતન અને અનુપ્રેક્ષા શક્તિની વૃદ્ધિ કરવી કારણકે જ્ઞાનવાન યોગી નો યોગ દુર્લભ છે અને મળે તો પણ સતત એનો વચનયોગ ચાલવો અશક્ય છે.
૬) ઉદગ્રહ - જ્ઞાન એ દીપક છે. એની પ્રાપ્તિ માટે યોગવહન, આયમ્બીલ તપ ઉપધાન કરી ગુરુમુખે સૂત્રની અનુજ્ઞા લઇ વિધિપૂર્વક મહામંગલકારી શાસ્ત્રાધ્યયન કરવુ આવશ્યક અને મહાન હિતકારી છે, આત્માની પરિણતિ સુધારનાર બને છે અને જીતેન્દ્રિય થવા ઉપકારી છે. યોગવહન ને ગુરુમુખ વિના મેળવેલા જ્ઞાનથી અનર્થ અને અનિષ્ટ ની સંભાવના રહે.
જીનઆજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામીદુક્કડમ.
૮/૨૨/૧૧ સોમવાર પાનું ૯૬ ફકરો ૩ અને ૪ સવાલ-જવાબ
Tuesday, April 10, 2012
ધર્મ સંન્યાસ અને ક્ષાયિક ભાવ
આ ભય ને દુર કરવા માટે ક્ષયોપક્ષમભાવ વાળા કર્મોનો મૂળથી જ નાશ કરવો પડે છે તેથી આ જીવ સામર્થ્ય યોગ ના બળે ક્ષયોપક્ષમ ભાવ ના ગુણો રૂપ જે ધર્મો છે તેનો સંન્યાસ (ત્યાગ) કરે છે. ક્ષપક્ શ્રેણીમાં ૮-૧૨ ગુણસ્થાનક માં રહેલો જીવ કોઈ પણ પ્રકારના રસ વાળા ચાર ધાતી કર્મોનો સંપૂર્ણ પણે નાશ કરતો જાય છે. અને મંદ ઉદય જન્ય પરંતું અતિચાર યુક્ત અને ભયયુકત ગુણો રૂપ જે ક્શાયોપશામિક ધર્મો હતા તે નાશ પામી જાય છે અને તેનેજ ધર્મસન્યાસયોગ કહેવાય છે.
આથી આત્મ નિર્ગુણ કે નિર્ધ્રમી થતો નથી પરંતું નીરતિચાર અને નિર્દોષ ગુણો વાળો બને છે જેને ક્ષાયિકભાવ કહેવાય છે.
આ પ્રમાણે જીવ ઈચ્છા યોગમાંથી આગળ વધીને શાસ્ત્ર યોગમાં અને તેમાંથી આગળ વધીને સામર્થ્ય યોગના પ્રથમ ભેદ દ્વારા ક્ષપક શ્રેણીમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં આગળ વધે છે છે અને નિર્દોષ અને નિર્ભય એવા ક્ષાયિક ભાવના ગુણધર્મો પ્રાપ્ત કરે છે.
અજ્ઞાન અને અસમજણના કારણે જીન આજ્ઞાથી વિરુધ્ધ કઈ લખાય ગયું હોયતો મિચ્છામીદુક્કડમ
Monday, March 26, 2012
પ્રાતિભ જ્ઞાન વિષે સમજણ અને સામર્થ્ય યોગ ના ભાગો
Sunday, March 25, 2012
5/24/11 ગાથા 12,૧૩,અને ૧૪ દ્રષ્ટિની વ્યાખ્યા
Saturday, March 24, 2012
03/30/2011 પ્રાતીભજ્ઞાનથી યુક્ત સામર્થ્ય યોગ
Friday, March 23, 2012
ગાથા ૪ શાસ્ત્રયોગ
ગાથા ૧ વીર શબ્દનો અર્થ અને ઇષ્ટદેવતા મહાવીર
Monday, March 19, 2012
03/19/2012 (Monday) Gatha 35 page 160
ગાથા ૩૫ પેજ ૧૬૦ તારીખ: ૦૩/૧૯/૨૦૧૨
- અનાદિકાલીન મોહની મલીનતા ધોવાતાં આત્મા નિર્મળ બને છે, તેની દ્રષ્ટિ બદલાય છે.
- પરમાર્થ સાધવાની પાત્રતા પ્રગટે છે.
- પાત્રતા પ્રગટ થવારૂપ ભાવપુણ્યોદય વધતાં ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેંચાતો આવે છે.
- ઉત્તમ નિમિત્તોનું સતત વારંવાર સેવન કરતો કરતો જીવ પોતાની મલીનતાને વધુ ને વધુ ટાળતો સત્ય માર્ગે પ્રયાણ કર્તો અંતે પરમાર્થપદની પ્રાપ્તિ કરે છે.
- તારણ: શુભનિમિત્તોના સંયોગનું કારણ અવંચક ત્રય, અવંચક ત્રયનું કારણ સત્પ્રણામાદિ, અને તે સત્પ્રણામાદિનું કારણ ભાવમલની અલ્પતા છે.
Tuesday, February 28, 2012
02/28/2012 (Tuesday) Gatha 34 page 155 and 156
૦૨/૨૮/૨૦૧૨ ૩૪ (યોગ, ક્રિયા, અને ફળ એ ઉત્તમ ત્રિપુટી છે)
- ગાથાર્થ: શાસ્ત્રોમાં યોગ, ક્રિયા, અને ફળ નામનાં જે અવંચક ત્રય (ત્રિપુટી) સંભળાય છે તે સાધુ પુરુષોને આશ્રયી (સત્પુરુષોને આશ્રયી) ઇષુ (બાણ) દ્વારા લક્ષ્યને વિંધવાની ક્રિયાની ઉપમા સમાન પરમ ઉત્તમ ત્રિપુટી છે.
- અવ્યક્તસમાધિ: યોગાવંચક, ક્રિયાવંચક, અને ફલાવંચક. મોહનીય-જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મનો હીનાધિકપણે ક્ષયોપશમ વિશેષ થવાથી પ્રગટ થયેલો તેવા પ્રકારનો ચિત્તનો પરિણામ વિશેષ.
- વ્યક્તસમાધિ: કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થતો હોય ત્યારે આવેલી દશા (ક્ષપકશ્રેણીમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં). તેના કાર્ય સ્વરૂપ વીતરાગ દશા તેરમા-ચૌદમા ગુણસ્થાનકે પ્રગટ થાય છે.
- અવંચક: જે પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે, આત્માનું અહિત ન કરે, આત્માને અહિતભણી ન લઈ જાય, અમોઘ અવન્ધ્ય, અચૂક ફળ લાવ્યા વિના ન જ રહે, એવો જે યોગ, એવી જે ક્રિયા, અને એવું જે ફ્ળ તે અવંચકયોગાદિ ત્રિપુટી
- યોગ: સદગુરૂ આદિ શુભ નિમિત્તોનો મિલાપ, સમાગમ, પ્રાપ્તિ, સંયોગ
- ક્રિયા: ગુરૂ આદિને કરાતી નમસ્કાર અને પ્રણામાદિ ક્રિયા
- ફળ: તજ્જ્ન્ય કર્મનિર્જરા રૂપ ભાવમલક્ષય એ ફળ જાણવું
- કારણ-૧: મિથ્યાત્વ આદિ દોષો મંદ પડવાથી, ભવસ્થિતિનો પરિપાક થવાથી, કાળ-સ્વભાવ-નિયતિ આદિ પાંચ સમવાયિકારણો મળવાથી
- કાર્ય-૧: જીવ ચરમાવર્તમાં આવે છે
- કારણ-૨: જીવ ચરમાવર્તમાં આવે + બહુ કાલ ગયે છતે જીવનો ભાવમલ કંઈક વધારે પ્રમાણમાં ક્ષય
- કાર્ય-૨: દેવ-ગુરુ પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર-પ્રણામ-દુઃખી જીવો ઉપર દયા, ભવ-ઉદવેગ, દ્રવ્યથી વ્રતોનું પાલન, પુસ્તકો પ્રત્યે બહુમાનભાવ, ગુણી પુરુષો ઉપર અદ્વેષ આદિ પ્રાથમિક ગુણો પ્રગટ થાય છે.
- કારણ-૩: બીજની પ્રાપ્તિ
- કાર્ય-૩: યોગદશાની પ્રાપ્તિ અને યોગ-ક્રિયા અને ફળનો અવંચકભાવ પ્રાપ્ત થાય છે.
Wednesday, February 8, 2012
02/08/2012 (Wednesday) gatha 33 page 149-150
૦૨/૦૮/૨૦૧૨ ગાથા ૩૩ – યોગબીજના કારણનું કારણ
લઘુકર્મી: જે આત્મા દુઃખી પ્રત્યે દયા આદિ ગુણોવાળો થાય છે, તે કંઈક ઉત્તમ-લઘુકર્મી બન્યો છે.
ભાવપુણ્ય: લઘુકર્મિતા એ જ આત્માની પવિત્રતા કરનાર હોવાથી ભાવપુણ્ય કહેવાય છે. મોહનીયકર્મના ક્ષયોપશમને ભાવપુણ્ય કહેવાય છે. આ ભાવપુણ્ય એ કંઇ કર્મ નથી પરંતુ કર્મોની હીનતારૂપ છે. જેમ લોહચુંબક લોઢાને ખેંચે તેમ આ ભાવપુણ્ય જ શુભ નિમિત્તોને ખેંચી લાવે છે.
બાહ્ય શુભનિમિત્તો: માનવભવ, જૈનશાસનની પ્રાપ્તિ, સદગુરૂનો યોગ, તેમની વાણી રૂપી અમ્રુતનું પાન, ધર્મક્રિયામાં ઓતપ્રોતતા, સતત જ્ઞાન-ક્રિયાનું સેવન, આ બાહ્ય શુભનિમિત્તો છે.
અભ્યન્તર શુભનિમિત્તો: તેના દ્વારા મન-વચન-કાયાનું જોડાવું અથવા સદગુરૂનો મીલાપ થવો તે શુભયોગ, શાસ્ત્રજ્ઞાન અનુસારે ઘર્મકાર્યોમાં પ્રવ્રુતિ કરવી તે શુભક્રિયા અને તેનાથી જન્ય કર્મોની નિર્જરા થવી તે શુભફળ આ ત્રણે અભ્યન્તર શુભનિમિત્તો છે.
શુભનિમિતો: ઉત્તમજીવને જ પોતાની પાત્રતાના કારણે જ બાહ્ય અને અભ્યન્તર શુભનિમિત્તોની પ્રપ્તિ થાય છે. શુભનિમિતો જ મુક્તિની સાધનામાં અવન્ધય કારણ બને છે. મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જીવને ઉત્તમ બનાવે છે અને તેની ઉત્તમતાથી ખેંચાઈને શુભનિમિત્તોનો જીવની સાથે સંયોગ કરાવે છે. આ શુભનિમિત્તો ઉપાદાનની (આત્માની) કલ્યાણકારી શુદ્ધિનું પ્રધાન કારણ બને છે, અને તે શુદ્ધિ મુક્તિદાયક બને છે.